Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
jetpur

જેતપુરના સુંદરવન અને શિવપાર્કમાં ભૂગર્ભના ખાડા ખોદીને તંત્ર ગાયબ!

Gujaratnow2 min read
જેતપુરના સુંદરવન અને શિવપાર્કમાં ભૂગર્ભના ખાડા ખોદીને તંત્ર ગાયબ!

જેતપુરમાં પાલિકા તંત્ર જાણે કે ગાઢ નિંદ્રામાં પોઢી ગયું લાગે છે. શહેરના રહેવાસીઓ કેટકેટલીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી ય હલતું નથી. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યા નથી. શહેરના સુંદર વન અને શિવ પાર્ક વિસ્તારના લોકોને તેમની સોસાયટીમાંથી મુખ્ય રોડ પર જવા માટે લાગુ પડતા રોડની આડે અન્ય સોસાયટીના બિલ્ડરે દીવાલ બનાવી દેતા લત્તાવાસીઓને અડધો કિમી ફરીને જવું પડતું હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તેમજ છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાઓ પૂરવામાં ન આવતા નાના બાળકો સહિત રાહદારીઓને અંદર પડવાનો ભય સતાવતો રહે છે. એટલું ઓછું ન હોય તેમ પાકા રોડ અને સફાઇ જેવી મૂળભૂત સુવિધાઓ બાબતે અસંખ્ય રજૂઆતો કરાઇ હોવા છતાં પાલિકા તંત્રને આંખ આડા કાન હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરધારપુર રોડ પર સુંદરવન અને શિવ પાર્ક બંને વિસ્તારો બાજુ બાજુમાં આવેલા છે.

જ્યાંથી મુખ્ય રસ્તા પર જવા માટે ચાર રસ્તાઓ પડે છે, પરંતુ ચારેય રસ્તા મયુર પાર્ક સાથે જોડાયેલા હોય અને મયુર પાર્કના બિલ્ડરે લાગુ રોડ આડે દીવાલ બનાવી રોડ બંધ કરી દીધો હોવાથી આ બંને લત્તાવાસીઓને અડધો કિમી ફરીને મુખ્ય રસ્તા પર જવું પડે છે.

જેથી આ રસ્તાઓ આડેની આડશરૂપ દીવાલ દૂર કરવા માટે સ્થાનિકોએ નગરપાલિકામાં અવારનવાર આવેદનપત્ર આપ્યા હોવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. નગરપાલિકાએ દીવાલ દૂર કરીને ફરી રસ્તો બનાવી આપવાના ઠાલા વચનો આપ્યા હોવાના લોકોએ આક્ષેપો કર્યા હતા. ઉપરાંત ભૂગર્ભ ગટર માટે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ રસ્તાઓની વચ્ચોવચ્ચ ઊંડા ખાડાઓ ખોદ્યા છ. જે હજુ ન પૂર તા અકસ્માતે બાળકો તેમાં પડી જવાનો માતા-પિતાને ભય રહે છે.

Gujaratnow2 min read

Related News