જેતપુરમાં પત્ની સાથે આડાસંબંધની શંકાએ યુવકે મિત્રને છરીના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવી

જેતપુરમાં પત્ની સાથે આડાસંબંધની શંકાએ યુવકે મિત્રને છરીના આડેધડ ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવી

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ક્રાઇમનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં શહેરમાં પાંચ-પાંચ હત્યાના બનાવો બનવા પામ્યા છે. નજીવી બાબતમાં હત્યા જેવો ગંભીર અપરાધ થતો હોવાનું તમામ બનાવોમાં સામે આવ્યું છે. શહેરમાં ફરી એકવાર જાહેરમાં હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યાં ગુરુવારે રબારીકા રોડ પર પત્ની સાથે આડાસંબંધની શંકાએ એક યુવકે તેના જ મિત્રની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જોકે સરાજાહેર હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામ્યો છે.

જાહેરમાં બનેલી આ ઘટનામાં લોકો મૃતકની મદદે આવે એ પહેલાં હત્યારો આડેધડ છરીના ઘા ઝીંકી ત્યાંથી બાળકોને સાથે લઇને ફરાર થઇ ગયો હતો. હત્યાનો બનાવ દુકાનના CCTVમાં કેદ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી હત્યારાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow