Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

જેતપુરમાં પત્ની સાથે સંબંધની શંકાથી મિત્રના હાથે જ મિત્રની હત્યા

Gujaratnow1 min read
જેતપુરમાં પત્ની સાથે સંબંધની શંકાથી મિત્રના હાથે જ મિત્રની હત્યા

જેતપુરના ઇલાહી ચોક, નવાગઢ ખાતે રહેતા રબારી યુવાનની આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ તેની પત્નીના મૃતક સાથે આડા સબંધ હોવાથી હત્યા કર્યાનું કબુલ્યું હતું. નવાગઢના ઇલાહી ચોકમાં રહેતા દેવાભાઈ સીદાભાઇ રાઠોડ નામના રબારી યુવાનની હત્યાના બનાવમાં સીટી પોલીસે મૃતકના પડોશમાં રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે ઇલિયાસ અમીન શેખની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી અારંભાઇ હતી. નોંધનીય છે કે અગાઉ પણ ઇલિયાસની પત્ની અન્ય યુવક સાથે ભાગી ગઇ ત્યારે મિત્રએ જ સમાધાનકારી ભૂમિકા ભજવી હતી અને હવે એ જ વેરી બન્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આશરે પાંચ મહિના અગાઉ ઈલિયાસની પત્ની પાડોશમાં રહેતા એક યુવક સાથે ભાગી ગઇ હતી ત્યારે દેવાએ ઈલિયાસની પત્નીને પરત લાવવામાં મદદ કરી હતી. તેમજ ઈલિયાસની પત્નિને સમજાવી બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આ બનાવ બાદ દેવો અવારનવાર ઈલિયાસના ઘરે બેસવા જતો હોવાથી આરોપીને તેની પત્નીના મૃતક સાથે આડા સંબંધ હોવાની શંકા ગઇ હતી અને હત્યા નિપજાવ્યાનું કબૂલ્યું હતું. જે કબુલાતના આધારે પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

Gujaratnow1 min read

Related News