જાપાનમાં લોકોએ ઘરને જ કચરાપેટી બનાવી, મૃત્યુ બાદ મહિનાઓ સુધી ખબર પડતી નથી

જાપાનમાં લોકોએ ઘરને જ કચરાપેટી બનાવી, મૃત્યુ બાદ મહિનાઓ સુધી ખબર પડતી નથી

જાપાનનાં હજારો ઘરમાં કચરાના ઢગલા જોવા મળે છે. કચરાથી ઠસોઠસ ભરેલાં ઘર અને માલિકોની નાનામાં નાની વસ્તુઓને પણ ઘરની બહાર ન ફેંકવાની આ સમસ્યાને જાપાનીઝમાં ‘ગોમી યાશિકી’ કહે છે. વૃદ્ધ થતી વસતી અને વિભક્ત પરિવારોને કારણે આ સમસ્યા વકરી છે. ડિપ્રેશન તેમજ કોઇ ખરાબ અનુભવ જેવી માનસિક સમસ્યાઓ ઉપરાંત શહેરોમાં રહેવા માટે ખૂબ જ ઓછી જગ્યા અને કામના દબાણમાં ઘરની સફાઇ માટે સમય ન મળવો પણ તેનું કારણ છે.

ટોક્યોમાં આવાં ઘરોને કચરાથી મુક્તિ અપાવવા માટે તોરુ કોરેમુરાએ ‘રિસ્ક બેનિફિટ’ નામની કંપની શરૂ કરી છે. તેઓ પોતાની ટીમની સાથે મળીને દુર્ગંધ ભરેલાં ઘરોમાં ઘૂસીને તેની સફાઇ કરે છે. અનેકવાર એવા ઘરમાં જઇને પણ સફાઇ કરવી પડે છે જ્યાં રહેતા એકલી રહેતી વ્યક્તિનું અનેક સપ્તાહો પહેલાં મોત થયું હોય છે. રૂમમાં છત સુધી ભરાયેલો કચરો પ્લાસ્ટિક બેગ, કેન, બોટલો, અખબાર અને જંક ફૂડનાં રેપર જ હોય છે.

અનેકવાર ઑનલાઇન શોપિંગના ઢગલાબંધ પેકેટ હોય છે જેને ક્યારેય ખોલાયાં નથી હોતાં. કોરેમુરા કહે છે કે એકલા રહેતા હોય અને મૃત્યુ પામેલામાંથી 70% ગોમી યાશિકીમાં રહેતા હોય છે. ક્યૂશૂ યુનિવર્સિટીના ન્યૂરોસાઇકેટ્રીના પ્રો. તોમોહિરો નકાઓ કહે છે કે એકલતા હોય ત્યારે આ સમસ્યા સર્જાઇ શકે છે. દરમિયાન, મહિલા હાના ફુજીવારાએ ઘરના કચરામાં પેન્શનના ડોક્યુમેન્ટ્સ ગુમાવ્યા બાદ સફાઇનો સંકલ્પ કર્યો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow