ચીનમાં સરકાર મહિલાઓને દહેજ નહીં લેવાના શપથ લેવડાવે છે

ચીનમાં સરકાર મહિલાઓને દહેજ નહીં લેવાના શપથ લેવડાવે છે

લગ્નમાં વરને દહેજ આપવું એ તો સામાન્ય બાબત છે પણ ચીનમાં એનાથી વિપરીત કન્યાને લગ્ન માટે દહેજ આપવું પડે છે. ચીનની સામાન્ય વાતચીતની ભાષામાં વર દ્વારા અપાતા દહેજને ‘કૈલી’ કહેવાય છે. જેની કિંમત સતત વધી રહી છે. લગ્ન માટે અમુક પ્રાંતોમાં સરેરાશ 16 લાખ 47 હજાર રૂપિયા આપવા પડે છે. આ દહેજની પ્રથા પર પ્રતિબંધ લગાવવા માટે સ્થાનિક સરકાર દાઈજિયાપુ જેવા કાર્યક્રમોના માધ્યમથી પ્રચાર અભિયાન ચલાવી રહી છે. અમુક શહેરોમાં અધિકારીઓએ કૈલી પર કાર્યવાહી પણ કરી છે અને અમુક વખત તો વર-કન્યાનાં પરિજનો સાથે વાત કરવાની કોશિશ પણ કરી છે.

ચીનમાં પુરુષોની અછતના કારણે આ પ્રથા છે. સરકાર આના પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ પણ કરી રહી છે. કન્યાપક્ષ જોડે શપથપત્ર પણ ભરાવી રહી છે કે તેઓ દહેજ નહીં લે. જોકે કોઈમ્બતૂર યુનિવસિર્ટીમાં એન્થ્રોપોલોજીના પ્રોફેસર ગોંસાલો સૈન્ટોસનું માનવું છે કે ચીનમાં મોટા ભાગે કાયદો મહિલાઓને કેન્દ્રમાં રાખી બનાવાય છે જે બરોબર નથી. મહિલાઓ જોડેથી સામાજિક વ્યવસ્થા અને સદભાવ બનાવી રાખવાની આશા રાખવી જ પિતૃસત્તા છે. મહિલાઓને દહેજ ન લેવાના શપથ અપાવનારી સરકાર ભૂલી જાય છે કે આ સ્થિતિ એમની જ વન ચાઈલ્ડ પોલિસીના કારણે બની છે. શોધકર્તા જણાવે છે કે વન ચાઈલ્ડ પોલિસી પછી સામાન્ય રીતે ચીનના પરિવારોમાં છોકરાઓ પર ફોકસ વધ્યું છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow