બેલ્જિયમમાં લોકોની ધર્મમાં આસ્થા ઘટી જતા સરકારે અનેક ચર્ચને હોટેલ, સુપરમાર્કેટ અને ડિસ્કોમાં ફેરવી દીધાં

બેલ્જિયમમાં લોકોની ધર્મમાં આસ્થા ઘટી જતા સરકારે અનેક ચર્ચને હોટેલ, સુપરમાર્કેટ અને ડિસ્કોમાં ફેરવી દીધાં

બેલ્જિયમમાં સાતમી સદીથી ખ્રિસ્તી ધર્મને પાળવામાં આવે છે. અહીં ઘણા કેથેડ્રલ, ચર્ચ, કોન્વેન્ટ અને ચેપલ આવેલાં છે પરંતુ છેલ્લાં 50 વર્ષમાં આ ચર્ચ, કેથેડ્રલમાં આવતા લોકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે.

2018ના એક અભ્યાસમાં જાણવ્યા મળ્યું હતું કે બેલ્જિયમમાં 83% લોકોનું કહેવું છે કે તેઓ ખ્રિસ્તી ધર્મના છે, માત્ર 55% હજુ પણ પોતાને ખ્રિસ્તી તરીકે માને છે. તેમાંથી માત્ર 10% હજુ પણ નિયમિતપણે ચર્ચમાં જતા હતા. સરેરાશ દરેક 300 નગરોમાં લગભગ છ ચર્ચ આવેલાં છે. ત્યારે આ ચર્ચમાં પ્રાર્થના કરવા આવતાં લોકોની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ ચર્ચની જાળવણી માટે ભંડોળની અછત પણ સર્જાઇ રહી છે. આસ્થાના વધતા જતા આ અભાવને કારણે અહીંની ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવી મુશ્કેલ બની છે. તેથી આ પડકારનો સામનો કરવા માટે પ્રશાસને આ તમામ ઇમારતોને હોટલ, સુપરમાર્કેટ, ડિસ્કો, કાફે વગેરેમાં રૂપાંતરિત કરવાનું શરૂ કર્યું છે.

બ્રસેલ્સની ઉત્તરે આવેલું મેકલેન શહેર બેલ્જિયમનું રોમન કેથોલિક કેન્દ્ર છે. તેમાં બે ડઝન જેટલાં ચર્ચ આવેલાં છે, જેમાંથી ઘણાં સેન્ટ રમ્બોલ્ડ કેથેડ્રલના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ બેલફોય ટાવરની નજીક છે. અહીંના મેયર બાર્ટ સોમર્સ આ ઈમારતોને એક અલગ રૂપ આપવા માટે વર્ષોથી કામ કરી રહ્યા છે. એન્ટવર્પના બિશપ જોહાન બોનીએ કહ્યું હતું કે ભૂતકાળમાં પાછા ફરવું શક્ય નથી.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow