દેશનાં 8 શહેરોમાં મકાનોની કિંમત પાંચ ટકા સુધી વધી

દેશનાં 8 શહેરોમાં મકાનોની કિંમત પાંચ ટકા સુધી વધી

દેશમાં ચાલુ વર્ષના પહેલા 9 મહિના દરમિયાન ઇનપુટ ખર્ચ તેમજ માંગમાં મજબૂત રિકવરીને કારણે દેશના પ્રમુખ આઠ શહેરમાં મિલકતોની સરેરાશ કિંમતો 5 ટકા વધી છે. બ્રોકરેજ ફર્મ પ્રોપટાઇગર અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે દેશના આઠ શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની સ્કવેર ફુટ દીઠ કિંમતો રૂ.6,600-6,800 નોંધાઇ છે, જે ગત વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન સ્ક્વેર ફુટ કિંમત રૂ. 6,300-6,500 હતી.

ઓસ્ટ્રેલિયાના REA ગ્રુપ અને યુએસ સ્થિત ન્યૂઝ કોર્પનો ભાગ REA ઇન્ડિયા ભારતમાં ત્રણ રિયલ એસ્ટેટ પોર્ટલ - હાઉસિંગ ડોટ કોમ, પ્રોપ ટાઇગર અને મકાન ડોટ કોમની માલિકી ધરાવે છે. કંપનીના ગ્રુપ CFO વિકાસ વાધવાને જણાવ્યું હતું કે પ્રાઇમરી હાઉસિંગ માર્કેટમાં કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને સીમેન્ટ તેમજ સ્ટીલ જેવા કાચા માલની કિંમતોમાં વધારાને કારણે પ્રોપર્ટીની કિંમતોમાં પણ વધારો થયો છે. ઇનપુટ ખર્ચમાં વધારા ઉપરાંત કોવિડ-19 બાદ માંગમાં મજબૂત રિકવરીને પગલે કિંમતો પર પણ દબાણ જોવા મળ્યું છે. હોમ લોનના વ્યાજદરોમાં 2 ટકા સુધીના વધારા છતાં માગ વૃદ્ધિ જળવાઇ રહી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow