2022માં આ દિગ્ગજ કલાકારોએ દુનિયાને કહી દીધુ અલવિદા, સંગીત જગતના આ સ્ટાર્સ હંમેશા રહેશે લોકોના દિલોમાં

2022માં આ દિગ્ગજ કલાકારોએ દુનિયાને કહી દીધુ અલવિદા, સંગીત જગતના આ સ્ટાર્સ હંમેશા રહેશે લોકોના દિલોમાં

વર્ષ 2022 હવે પુરૂ થવા જઈ રહ્યું છે.આવી સ્થિતિમાં આ વર્ષમાં દેશ અને દુનિયાએ ઘણી ઘટનાઓ જોઈ. તેમાં ભારતની સ્વર કોકિલા લતા મંગેશકર, નૃત્ય સમ્રાટ પંડિત બિરજુ મહારાજ, પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા સહિત ઘણા મોટા નામ સામેલ છે. આવો 2022માં આ દુનિયાને અલવિદા કહેનારા આવા સ્ટાર્સની સંપૂર્ણ યાદી જોઈએ.

લતા મંગેશકર

‌‌સ્વરા કોકિલા તરીકે જાણીતા લતા મંગેશકરને કોઈ પરિચયની જરૂર નથી. તેમનું અવસાન સંગીત જગત માટે મોટો આંચકો હતો. લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી, 2022 ના રોજ મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમને કારણે 92 વર્ષની વયે અવસાન થયું હતું. આ પહેલા તે કોવિડ 19 અને ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યા હતા.

બપ્પી લહેરી

‌‌'બપ્પી દા' એટલે કે બપ્પી લાહિરીએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ બંગાળી, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ઘણા ચાર્ટબસ્ટર ગીતો આપ્યા છે. 15 ફેબ્રુઆરી, 2022 ના રોજ 69 વર્ષની આયુમાં ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાથી મુંબઈમાં તેમનું નિધન થઈ ગયું.

સિદ્ધૂ મૂસેવાલા

‌‌પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની 29 મે, 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે તેની કારમાં હતો જ્યારે હુમલાખોરોએ તેને રોક્યો અને તેના પર 30 થી વધુ ગોળીઓ ચલાવી.

કેકે ‌‌KK (Krishnakumar Kunnath)

ભારતના પ્રખ્યાત પ્લેબેક સિંગર હતા, જેમને 31 મે, 2022 ના રોજ દક્ષિણ કોલકાતાના નઝરુલ મંચ ઓડિટોરિયમમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં લઈ જતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પંડિત બિરજૂ મહારાજ

‌‌પંડિત બિરજુ મહારાજ લખનૌના 'કાલકા-બિન્દાદિન' ઘરાનાના પ્રખ્યાત કથક નૃર્તક, સંગીતકાર અને ગાયક હતા. તેઓ 83 વર્ષના હતા જ્યારે તેમની તબિયત અચાનક બગડી અને 17 જાન્યુઆરી, 2022ના રોજ તેમનું અવસાન થયું.

Read more

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યૂ

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યૂ

સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’માં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને

By Gujaratnow
શિક્ષકોને રાત્રે BLOની કામગીરીને લઈ બોલાવતા શૈક્ષિક સંઘમાં રોષ

શિક્ષકોને રાત્રે BLOની કામગીરીને લઈ બોલાવતા શૈક્ષિક સંઘમાં રોષ

ગુજરાતમાં ચાલતી મતદાર યાદી સુધારણા SIRની અતિ મહત્વની કામગીરી માટે જૂનાગઢમાં રાત્રે સુપરવાઇઝર અને શિક્ષકોને બોલાવતા વિવાદ સર્જાયો છે. બુથ લેવલ ઓફિ

By Gujaratnow
દિલ્હી બ્લાસ્ટ: ડૉ. મુઝમ્મિલ ઘંટીમાં યુરિયા પીસતો હતો

દિલ્હી બ્લાસ્ટ: ડૉ. મુઝમ્મિલ ઘંટીમાં યુરિયા પીસતો હતો

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડૉ. મુઝમ્મિલ ગનાઈ, ડૉ. શાહીન સઈદ, ડૉ. આદિલ અહેમદ રાથર

By Gujaratnow
સુંદર પિચાઈએ કહ્યું- દરેક વ્યવસાયમાં AIનો ઉપયોગ કરવાનું શીખવું જરૂરી; જે લોકો તેને અપનાવશે તેઓ અન્ય કરતા વધુ સારું કરશે

સુંદર પિચાઈએ કહ્યું- દરેક વ્યવસાયમાં AIનો ઉપયોગ કરવાનું શીખવું જરૂરી; જે લોકો તેને અપનાવશે તેઓ અન્ય કરતા વધુ સારું કરશે

ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માત્ર ઘણી નોકરીઓ જ નહીં, પરંતુ ભવિષ્યમાં મોટી કંપનીઓના સીઈઓનું સ્થાન પણ લઈ

By Gujaratnow