2022માં કંપનીઓએ IPO દ્વારા રૂપિયા 57,000 કરોડ એકત્ર કર્યા

2022માં કંપનીઓએ IPO દ્વારા રૂપિયા 57,000 કરોડ એકત્ર કર્યા

સ્ટોક એક્સચેન્જ પર આ વર્ષ દરમિયાન લિસ્ટ થયેલા શેર્સમાં સતત ઘટાડો તેમજ ભૌગોલિક રાજકીય તણાવને કારણે વોલેટિલિટીને પગલે IPOs મારફતે ફંડ એકત્રીકરણ વર્ષ 2022માં ઘટીને રૂ.57,000 કરોડ નોંધાયું છે.વર્ષ 2022 દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં એકત્ર કરાયેલી કુલ રકમમાંથી માત્ર LICનો જ 35 ટકા હિસ્સો રહેલો છે. જેણે IPOs મારફતે કુલ રૂ.20,557 કરોડની રકમ એકત્ર કરી હતી. વર્ષ 2022માં મંદીના ડર અને વ્યાજદરમાં વધારાને કારણે રોકાણકારો ચિંતિત રહ્યા હતા.

વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે મંદ વૃદ્વિની અસર ભારતમાં પણ જોવા મળશે . તદુપરાંત નિરુત્સાહી ટ્રેન્ડને કારણે વર્ષ 2023માં IPO મારફતે એકત્ર કરાયેલી રકમ વર્ષ 2022ના સ્તર કરતાં પણ ઓછી રહેશે તેવું ટ્રૂ બિકન અને ઝીરોધાના સહસ્થાપક નિખિલ કામથે જણાવ્યું હતું.

ે વર્ષ 2023માં વોલેટાઇલ સ્ટોક માર્કેટને કારણે IPOsનું કુલ કદ પણ ઓછુ રહેશે. વર્ષ 2023 દરમિયાન પ્રીમિયમ વેલ્યુએશન પણ ઘટી શકે છે જેને કારણે IPOsની અસર ઘટી શકે છે. તદુપરાંત તાજેતરમાં રજૂ થયેલા IPOsના નબળા પરફોર્મન્સને કારણે પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઇ છે, જેને કારણે આગામી સમયમાં ફિક્કો પ્રતિસાદ સાંપડે તેવી શક્યતા છે. વર્ષ 2023 દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં નિરુત્સાહી ટ્રેન્ડ રહેશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow