Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

ઇમરાનની પાર્ટી પીટીઆઇ પર પ્રતિબંધ મુકાશે : ગૃહમંત્રી

Gujaratnow1 min read
ઇમરાનની પાર્ટી પીટીઆઇ પર પ્રતિબંધ મુકાશે : ગૃહમંત્રી

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઇનાં એક ડઝનથી વધુ નેતાઓની સામે આતંકવાદનાં કેસ દાખલ કરાયા છે. હકીકતમાં ઇમરાન ખાન જ્યારે ગિફ્ટ મામલામાં લાહોરથી ઇસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા માટે પહોંચ્યા હતા ત્યારે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)નાં કાર્યકરો અને પોલીસ વચ્ચે હિંસા થઇ હતી. આ હિંસામાં 25 સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. ત્યારબાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે સુનાવણી 30મી માર્ચ સુધી ટાળી દીધી હતી. ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે, પીટીઆઇને પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કરવા માટે સરકારે નિષ્ણાતોની મદદ માગી છે.

ઇમરાનખાનનાં આવાસ પરથી હથિયારો, પેટ્રોલ બોંબ મળ્યા
સનાઉલ્લાહનું આ નિવેદન એવા સમયએ આવ્યું છે, જ્યારે ઇમરાન ઇસ્લામાબાદની જિલ્લા કોર્ટમાં હાજર થવા માટે પહોંચ્યા હતા. પંજાબ પોલીસનાં 10 હજાર સશસ્ત્ર જવાનોએ લાહોરમાં જમાં પાર્ક આવાસમાં મોટી કાર્યવાહી કરી હતી. સાથે સાથે 61 સમર્થકોની ધરપકડ કરી હતી. વડાપ્રધાન શહબાઝ શરીફની ભત્રીજી અને પીએમએન-એલનાં નાયબ અધ્યક્ષ મરિયમ નવાઝ આ દાવાથી સહમત છે કે, ઇમરાનની પાર્ટી એક આતંકી સંગઠન છે.

Gujaratnow1 min read

Related News