મોરબી પુલ દુર્ઘટનામાં FSLની તપાસ મુદ્દે મહત્વની વિગતો; પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની આશંકા

મોરબી પુલ દુર્ઘટનામાં FSLની તપાસ મુદ્દે મહત્વની વિગતો; પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની આશંકા

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બનીને ભરખી ગઈ છે. દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે ગયા હતા જે મોજની પળો પરિવર્તન થઈ કાળ પળમાં અને જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જે દુર્ઘટના બાબતે FSLની તપાસ મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની આશંકા વર્તાવાઈ રહી છે.

FSL તપાસ મુદ્દે મહત્વના સમાચાર
FSLની તપાસ મામલે માહિતી મળી રહી છે કે, પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે. તેમજ માત્ર ફ્લોરિંગ અને નીચેની ટાઈલિંગ જ બદલાવામાં આવી હતી મળતી વિગતો અનુસાર FSLની ટીમ ઘટનાસ્થળેથી કેબલ કાપીને તપાસમાં લઇ ગઈ છે, ઓરેવા કંપનીને નથી બ્રિજ મેન્ટેનેન્સ કરવાનો અનુભવ છતા તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બ્રિજ કેટલા લોકોનો વજન સહન કરી શકશે એ અંગે કંપની પાસે માહિતી ન હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કંપની પાસે બીજો કોઈ ઈમરજન્સી પ્લાન પણ નહતો. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ પણ ક્યારેય કરાયું નથી તેમજ દુર્ઘટના બાદ ગઈકાલે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

મોરબી પુલ દુર્ઘટનાનો મુદ્દો
પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની શંકા સામે આવી રહી છે. સમગ્ર દુર્ઘટનામાં લોકો દ્વારા સવાલો કરવામાં આવી રહ્યાં છે કે, દુર્ઘટના કેસમાં નાની માછલીઓને જ પકડવામાં આવી છે જ્યારે મગરોને બેનકાબ કરવામાં આવ્યા નથી. અજી સુધી FSLનો રિપોર્ટ સામે આવ્યો નથી પરંતું સુત્ર દ્રારા મળતી માહિતી મુજબ પુલના રિનોવેશનમાં મોટી બેદરકારી દાખવવામાં આવી છે. રિનોવેશનના અધુરા કામ કરી અને પુલ ચાલુ કરી દેવામાં આવ્યો હતો તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow