ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ભારતીય ઓલરાઉન્ડર્સ માટે પડકાર

ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ભારતીય ઓલરાઉન્ડર્સ માટે પડકાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 16મી સિઝન શુક્રવાર 31 માર્ચથી શરૂ થઈ રહી છે. 4 વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વચ્ચે લીગની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ 70 સ્ટેજ અને 4 પ્લેઓફની મેચ રમશે.

2008થી શરૂ આ લીગમાં પહેલી વખત ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ થયો છે. આ નિયમ હેઠળ ટીમ પ્લેઇંગ-11માં સામેલ કોઈ પણ એક ખેલાડીને ટીમની બહાર બેન્ચ પર બેસેલા ખેલાડી સાથે રિપ્લેસ કરી શકશે. એક્સપર્ટનું માનવું છે કે આ નિયમથી ઓલરાઉન્ડર્સનો પ્રભાવ ઓછો થશે અને ગુજરાત, લખનઉ અને રાજસ્થાન જેવી ટીમને ફાયદો મળશે.

આગળ સ્ટોરીમાં આપણે આ નિયમ વિશે વિગતવાર જાણીશું. આ નિયમ શું છે, ટીમ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકશે, ટીમ કયા પ્લેયરને ઇમ્પેક્ટ ખેલાડી બનાવી શકશે અને આ નિયમને લઈને એક્સપર્સનો અભિપ્રાય શું છે.

ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ, ટીમ પ્લેઈંગ-11માં કોઈપણ એક ખેલાડીને IPL મેચ વચ્ચે બેન્ચ પર બેઠેલા ખેલાડી સાથે બદલી શકશે. ટીમ ટોસ પછી પ્લેઇંગ-11 સાથે 4-4 સબ્સ્ટિટ્યૂટ ખેલાડીઓના નામ પણ આપવા પડશે. આ 4માંથી કોઈપણ એક મેચની વચ્ચે પ્લેઈંગ-11માં સામેલ ખેલાડીને રિપ્લેસ કરી શકશે.

આ નિયમનો ઉપયોગ બંને ઈનિંગમાં એકથી 14 ઓવરની વચ્ચે થઈ શકે છે. એક ટીમ આખી મેચમાં માત્ર એક જ વાર પ્લેયર રિપ્લેસમેન્ટ નિયમનો ઉપયોગ કરી શકશે. જો તે ઈચ્છે તો પહેલી ઈનિંગની 14 ઓવર સુધી અથવા બીજી ઈનિંગની 14મી ઓવર સુધી રિપ્લેસમેન્ટ લઈ શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow