ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ભારતીય ઓલરાઉન્ડર્સ માટે પડકાર

ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ભારતીય ઓલરાઉન્ડર્સ માટે પડકાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 16મી સિઝન શુક્રવાર 31 માર્ચથી શરૂ થઈ રહી છે. 4 વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વચ્ચે લીગની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ 70 સ્ટેજ અને 4 પ્લેઓફની મેચ રમશે.

2008થી શરૂ આ લીગમાં પહેલી વખત ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ થયો છે. આ નિયમ હેઠળ ટીમ પ્લેઇંગ-11માં સામેલ કોઈ પણ એક ખેલાડીને ટીમની બહાર બેન્ચ પર બેસેલા ખેલાડી સાથે રિપ્લેસ કરી શકશે. એક્સપર્ટનું માનવું છે કે આ નિયમથી ઓલરાઉન્ડર્સનો પ્રભાવ ઓછો થશે અને ગુજરાત, લખનઉ અને રાજસ્થાન જેવી ટીમને ફાયદો મળશે.

આગળ સ્ટોરીમાં આપણે આ નિયમ વિશે વિગતવાર જાણીશું. આ નિયમ શું છે, ટીમ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકશે, ટીમ કયા પ્લેયરને ઇમ્પેક્ટ ખેલાડી બનાવી શકશે અને આ નિયમને લઈને એક્સપર્સનો અભિપ્રાય શું છે.

ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ, ટીમ પ્લેઈંગ-11માં કોઈપણ એક ખેલાડીને IPL મેચ વચ્ચે બેન્ચ પર બેઠેલા ખેલાડી સાથે બદલી શકશે. ટીમ ટોસ પછી પ્લેઇંગ-11 સાથે 4-4 સબ્સ્ટિટ્યૂટ ખેલાડીઓના નામ પણ આપવા પડશે. આ 4માંથી કોઈપણ એક મેચની વચ્ચે પ્લેઈંગ-11માં સામેલ ખેલાડીને રિપ્લેસ કરી શકશે.

આ નિયમનો ઉપયોગ બંને ઈનિંગમાં એકથી 14 ઓવરની વચ્ચે થઈ શકે છે. એક ટીમ આખી મેચમાં માત્ર એક જ વાર પ્લેયર રિપ્લેસમેન્ટ નિયમનો ઉપયોગ કરી શકશે. જો તે ઈચ્છે તો પહેલી ઈનિંગની 14 ઓવર સુધી અથવા બીજી ઈનિંગની 14મી ઓવર સુધી રિપ્લેસમેન્ટ લઈ શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow