નોકરી છૂટ્યા પછી ઇમિગ્રન્ટ્સ USમાં 180 દિવસ રોકાઈ શકશે

નોકરી છૂટ્યા પછી ઇમિગ્રન્ટ્સ USમાં 180 દિવસ રોકાઈ શકશે

અમેરિકામાં છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન લે-ઓફ (છટણી)ના શિકાર થયેલા આશરે 70 હજારથી વધુ એચ1બી વિઝાધારક ભારતીય લોકોને મોટી રાહત મળી છે. આવા લોકો માટે બીજી નોકરી શોધવા માટે 60 દિવસની ગ્રેસ અવધિને વધારીને હવે 180 દિવસ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઇમિગ્રેશન પર વ્હાઇટ હાઉસની એડવાઇઝરી કમિટીનાં ચીફ કમિશનર સોનલ શાહ અને સબ કમિટીનાં સહઅધ્યક્ષ અજય ભૂતોરિયાની પહેલ પર આ ભલામણ કરવામાં આવી છે, જેને હવે મંજૂરી મળવાની શક્યતા છે.

કમિટીના આ બંને ભારતવંશી લોકોએ છટણીનો શિકાર થયેલા પ્રોફેશનલ્સ માટે મુસદ્દો તૈયાર કર્યો છે. સાથે સાથે કમિટીના અન્ય સભ્યોને પણ ગ્રેસ અવધિમાં વધારો કરવા માટે અપીલ કરી છે. ગ્રેસ અવધિ વધવાથી અમેરિકામાં એચ1બી પર કામ કરી રહેલા આશરે સવા ચાર લાખ લોકોને રાહત મળશે. કમિટી તરફથી કરવામાં આવેલી ભલામણ હવે પરમિટ કમિશનની પાસે જશે અને અમેરિકન રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે મંજૂરી આપશે. 2021 દરમિયાન સૌથી વધારે 74 ટકા એચ1બી વિઝા ભારતીયોને મળ્યા છે. અમેરિકન ઇમિગ્રેશન તરફથી જારી ચાર લાખ એચ1 બી વિઝા પૈકી ત્રણ લાખ ભારતીયોને જ્યારે ચીની નાગરિકોને 50 હજાર વિઝા અપાયા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow