મોબાઇલથી બીમારીઓ વધી

મોબાઇલથી બીમારીઓ વધી

વૉશિંગ્ટન. સ્માર્ટફોન ક્યારે જરૂરિયાતમાંથી કુટેવ બની ગયો એ આપણને ખબર પણ ના પડી. આપણે જ્યાં પણ હોઇએ, એકલા કે ભીડમાં, સ્માર્ટફોનથી ઘેરાયેલા હોઇએ છીએ. તેનાથી અનેક બીમારીઓ વધી છે. માનસિક અને શારીરિક પણ. સ્માર્ટફોનના વધુ ઉપયોગથી પણ થાક લાગે છે. આત્મહત્યા અને ડિપ્રેશનનું સૌથી મોટું કારણ પણ તે જ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે, સ્માર્ટફોનથી દૂર રહેવાની સર્વિસ આપતી કંપનીઓ પણ શરૂ થઈ ગઈ છે. એવા ડિવાઇસ બની રહ્યા છે, જે આપણને સ્માર્ટફોનથી દૂર રહેવામાં મદદ કરે છે.

આવી જ એક કંપની છે, યોન્ડર. તે એવી મોબાઇલ બેગ બનાવે છે, જેમાં મોબાઇલ રાખીને ચોક્કસ સમય માટે લૉક કરી શકાય છે. કોઇ કોન્ફરન્સ કે કોન્સર્ટ, સ્કૂલ-કોલેજ, મીટિંગ કે પછી પરિવાર-મિત્રો સાથે સમય વીતાવવા તેનો ઉપયોગ કરાઇ હોય છે. ક્રિએટિવ કામ કરતા લોકો જેમ કે લેખકો, સંગીતકારો, શિક્ષકો વગેરેએ તો મોબાઇલથી દૂર રહેવું ખાસ જરૂરી છે. તેઓ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

અમેરિકામાં આ બેગ લોકપ્રિય છે. કંપનીના સ્થાપક ગ્રાહમ ડુગોની કહે છે કે, તેનો ઉપયોગ કરનારાને શરૂઆતમાં નેટવર્કથી દૂર રહેવામાં મુશ્કેલી થતી, પરંતુ પછી તેમને સંગીત સમારંભ, ફિલ્મો જોવામાં વધુ મજા આવવા લાગી. જ્યાં કોઇ પણ મોબાઇલનો ઉપયોગ ના કરતું હોય તેવા સ્થળ લોકોને એકબીજા સાથે જોડે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow