ઈરાન: યુવતીઓને મનોરોગી ગણાવી હોસ્પિટલ મોકલાઈ

ઈરાન: યુવતીઓને મનોરોગી ગણાવી હોસ્પિટલ મોકલાઈ

ઈરાનમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલા હિજાબવિરોધી દેખાવો 30 શહેરોમાં ફેલાઈ ચૂક્યા છે. સરકાર દમન કરવા છતાં દેખાવોને અટકાવી શકી નથી. દરમિયાન સરકારના દમનની વધુ એક ઘટના સામે આવી. ઈરાનના શિક્ષણમંત્રીએ કહ્યું કે હિજાબવિરોધી સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થિનીઓની માનસિક સ્થિતિ યોગ્ય નથી. તેઓ માનસિક રોગથી પીડિત છે એટલા માટે તેમને માનસિક રોગોની હોસ્પિટલમાં દાખલ કરાઈ રહી છે. જેના લીધે આ વિદ્યાર્થીઓના મગજમાં ઉપજી રહેલા અસામાજિક વ્યવહારને સુધારી શકાય. સેંકડો માતા-પિતા પોતાનાં બાળકો વિશે જાણતાં જ નથી કે હાલ તેઓ ક્યાં છે?

ગુરુવારે ઈરાનની પોલીસે કુર્દિશ્તાનમાં હિજાબવિરોધી દેખાવકારો પર ફરી ફાયરિંગ અને લાઠીચાર્જ કર્યો હતો. કુર્દિશ્તાનનાં 10 શહેરોમાં ઉગ્ર દેખાવો યથાવત્ છે. પોલીસ ફાયરિંગમાં 210થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. સેંકડો ઘવાયા છે. 2000થી વધુની ધરપકડ કરાઈ છે. કુર્દિશ્તાનના કરમનશાહ શહેરમાં દેખાવકારોની પોલીસ સાથે હિંસક અથડામણ પણ થઈ હતી. તેમાં બે પોલીસકર્મી મૃત્યુ પામ્યાના અહેવાલ હતા.

આંદોલન સામે પોલીસ લાચાર, રિવોલ્યૂશનરી ગાર્ડ તહેનાત

ઈરાનમાં હિજાબવિરોધી દેખાવોને કચડી નાખવામાં પોલીસ નિષ્ફળ રહી. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રહિસીની સરકારની નિષ્ફળતાને જોતા સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખોમેનીએ હવે આંદોલનને કચડી નાખવા કુર્દિશ્તાનમાં રિવોલ્યૂશનરી ગાર્ડ્સ તહેનાત કર્યા છે. 16 સપ્ટેમ્બર પછી જ્યારે આંદોલનમાં ઉગ્રતા આવી તો પોલીસ પાસે સમગ્ર જવાબદારી હતી પણ તેના પછી પોલીસને હટાવી ખોમેનીના વિશ્વસનીય રિવોલ્યૂશનરી ગાર્ડ્સને જવાબદારી સોંપાઈ હતી. સરકાર હવે આ રીતે આંદોલનને દબાવવા ઈચ્છે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow