શિયાળામાં સ્વસ્થ રહેવું છે તો આજે જ ડાઈટમાં સામેલ કરી લો આ સુપરફૂડ, ક્યારેય નહીં પડો બીમાર

શિયાળામાં સ્વસ્થ રહેવું છે તો આજે જ ડાઈટમાં સામેલ કરી લો આ સુપરફૂડ, ક્યારેય નહીં પડો બીમાર

શિયાળાની ઋતુ નજીક આવતા જ બજારમાં ખજૂરની માંગ ઝડપથી વધવા લાગે છે અને તેની  પાછળનું કારણ છે ખજૂરમાં જોવા મળતા ઔષધીય ગુણોને. તેને કારણે ખજૂર ઠંડીની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. ખજૂર ફક્ત આપણા શરીરને ગરમ રાખવાનું જ કામ નથી કરતું પણ તેને આહારમાં સામેલ કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. જણાવી દઈએ કે ખજૂરને પોષક તત્વો અને સૂક્ષ્મ પોષકતત્વોનો ખજાનો કહેવામાં આવે છે અને ખાસ કરીને રાત્રે દૂધ સાથે ખજૂર ખાવું પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઠંડીની ઋતુમાં ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે કેટલું અને કેવી રીતે ફાયદાકારક છે એ વિશે તમને જણાવશું.

હાઈ બીપી
હાઈ બ્લડ પ્રેશર એટલે કેહાઈ બીપી દર્દીઓએ શિયાળામાં તેમના રોજિંદા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એટલા માટે આવા લોકોએ દરરોજ લગભગ ચાર ખજૂરનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂર એક ખાસ અને મહત્વની વસ્તુ માનવામાં આવે છે. જણાવી દઈએ કે ખજૂરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે અને તેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ રિફાઈનરી સુગરથી દૂર રહેવું જોઈએ અને ખજૂરની સિઝન આવતા જ તેને ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

એનીમિયા
ખજૂર એનિમિયાની બીમારીને દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ હોય છે એવામાં ખજૂર શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરે છે અને આયર્ન શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે.  આ સાથે જ ખજૂરમાં ફાઈબર અને વિટામિન સી પણ ભરપૂર હોય છે જેને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

શરદી
ઠંડીની મોસમ આવતા જ લોકોને શરદીઅને ઉધરસની સમસ્યા થવા લાગે છે. એવામાં શિયાળામાં ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને મોસમી રોગો દૂર રહે છે, આ સાથે જ ખજૂરનો ઉપયોગ આયુર્વેદિક દવા અથવા ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ થાય છે. શિયાળાની ઋતુમાં તમારે દરરોજ લગભગ ચાર ખજૂર ખાવા જોઈએ અને આ સિવાય તમે ખજૂરને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow