શિયાળામાં સ્વસ્થ રહેવું છે તો આજે જ ડાઈટમાં સામેલ કરી લો આ સુપરફૂડ, ક્યારેય નહીં પડો બીમાર

શિયાળામાં સ્વસ્થ રહેવું છે તો આજે જ ડાઈટમાં સામેલ કરી લો આ સુપરફૂડ, ક્યારેય નહીં પડો બીમાર

શિયાળાની ઋતુ નજીક આવતા જ બજારમાં ખજૂરની માંગ ઝડપથી વધવા લાગે છે અને તેની  પાછળનું કારણ છે ખજૂરમાં જોવા મળતા ઔષધીય ગુણોને. તેને કારણે ખજૂર ઠંડીની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. ખજૂર ફક્ત આપણા શરીરને ગરમ રાખવાનું જ કામ નથી કરતું પણ તેને આહારમાં સામેલ કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. જણાવી દઈએ કે ખજૂરને પોષક તત્વો અને સૂક્ષ્મ પોષકતત્વોનો ખજાનો કહેવામાં આવે છે અને ખાસ કરીને રાત્રે દૂધ સાથે ખજૂર ખાવું પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઠંડીની ઋતુમાં ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે કેટલું અને કેવી રીતે ફાયદાકારક છે એ વિશે તમને જણાવશું.

હાઈ બીપી
હાઈ બ્લડ પ્રેશર એટલે કેહાઈ બીપી દર્દીઓએ શિયાળામાં તેમના રોજિંદા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એટલા માટે આવા લોકોએ દરરોજ લગભગ ચાર ખજૂરનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂર એક ખાસ અને મહત્વની વસ્તુ માનવામાં આવે છે. જણાવી દઈએ કે ખજૂરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે અને તેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ રિફાઈનરી સુગરથી દૂર રહેવું જોઈએ અને ખજૂરની સિઝન આવતા જ તેને ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

એનીમિયા
ખજૂર એનિમિયાની બીમારીને દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ હોય છે એવામાં ખજૂર શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરે છે અને આયર્ન શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે.  આ સાથે જ ખજૂરમાં ફાઈબર અને વિટામિન સી પણ ભરપૂર હોય છે જેને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

શરદી
ઠંડીની મોસમ આવતા જ લોકોને શરદીઅને ઉધરસની સમસ્યા થવા લાગે છે. એવામાં શિયાળામાં ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને મોસમી રોગો દૂર રહે છે, આ સાથે જ ખજૂરનો ઉપયોગ આયુર્વેદિક દવા અથવા ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ થાય છે. શિયાળાની ઋતુમાં તમારે દરરોજ લગભગ ચાર ખજૂર ખાવા જોઈએ અને આ સિવાય તમે ખજૂરને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow