જો તમારા શરીરને રાખવું છે હેલ્ધી, તો આજથી જ આ વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરો, પછી જુઓ લાભ

જો તમારા શરીરને રાખવું છે હેલ્ધી, તો આજથી જ આ વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરો, પછી જુઓ લાભ

ઘણી એવી વસ્તુઓ છે, જેમને તમે કાચી અને પલાળીને બંને રીતે ખાઈ શકો છો, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે,  

જેમને કાચી ખાવાના બદલે જો તમે પલાળીને ખાઓ છો તો તેમનાં પોષક તત્ત્વોનું પ્રમાણ વધી જાય છે અને શરીરને વધારે લાભ કરે છે. જો તમે આ વસ્તુઓને પલાળીને ખાઓ છો તો તેનાથી તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે, સાથે જ આ વસ્તુઓ પલાળીને ખાવાથી પાચનમાં સરળતા રહે છે. આ વસ્તુઓને હંમેશાં પલાળીને જ ખાવી જોઈએ, તેનાથી વધારે લાભ થાય છે.

બદામ
રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે, તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે. તેથી બદામને કાચી ખાવાના બદલે પલાળીને ખાવી જોઈએ.

કિસમિસ
કિસમિસમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે અને તે એન્ટિઓક્સિડન્ટ તત્ત્વોથી ભરપૂર હોય છે. જો તમારા શરીરમાં રક્તની ઊણપ હોય તો પલાળેલી કિસમિસ ખાવાનું શરૂ કરો, તેનાથી ઝડપથી આયર્ન વધે છે.

અંજીર
અંજીર પણ રોજ પલાળીને ખાવાં જોઈએ, તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ, જેમ કે કબજિયાત, એસિડિટી વગેરેથી છુટકારો મળે છે. તેથી અંજીરને કાચાં ખાવાના બદલે રાતે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું.

મેથી
મેથીના દાણાને પણ રાતે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું જોઈએ, તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પલાળેલી મેથી રામબાણ સાબિત થાય છે.

અખરોટ
જો રોજ તમે પલાળેલા અખરોટનું સેવન કરો છો તો તેનાથી તમારું મગજ તેજ રહે છે અને યાદશક્તિ સુધરે છે. ખાસ કરીને પલાળેલા અખરોટ ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow