જો તમારા શરીરને રાખવું છે હેલ્ધી, તો આજથી જ આ વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરો, પછી જુઓ લાભ

જો તમારા શરીરને રાખવું છે હેલ્ધી, તો આજથી જ આ વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરો, પછી જુઓ લાભ

ઘણી એવી વસ્તુઓ છે, જેમને તમે કાચી અને પલાળીને બંને રીતે ખાઈ શકો છો, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે,  

જેમને કાચી ખાવાના બદલે જો તમે પલાળીને ખાઓ છો તો તેમનાં પોષક તત્ત્વોનું પ્રમાણ વધી જાય છે અને શરીરને વધારે લાભ કરે છે. જો તમે આ વસ્તુઓને પલાળીને ખાઓ છો તો તેનાથી તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે, સાથે જ આ વસ્તુઓ પલાળીને ખાવાથી પાચનમાં સરળતા રહે છે. આ વસ્તુઓને હંમેશાં પલાળીને જ ખાવી જોઈએ, તેનાથી વધારે લાભ થાય છે.

બદામ
રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે, તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે. તેથી બદામને કાચી ખાવાના બદલે પલાળીને ખાવી જોઈએ.

કિસમિસ
કિસમિસમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે અને તે એન્ટિઓક્સિડન્ટ તત્ત્વોથી ભરપૂર હોય છે. જો તમારા શરીરમાં રક્તની ઊણપ હોય તો પલાળેલી કિસમિસ ખાવાનું શરૂ કરો, તેનાથી ઝડપથી આયર્ન વધે છે.

અંજીર
અંજીર પણ રોજ પલાળીને ખાવાં જોઈએ, તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ, જેમ કે કબજિયાત, એસિડિટી વગેરેથી છુટકારો મળે છે. તેથી અંજીરને કાચાં ખાવાના બદલે રાતે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું.

મેથી
મેથીના દાણાને પણ રાતે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું જોઈએ, તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પલાળેલી મેથી રામબાણ સાબિત થાય છે.

અખરોટ
જો રોજ તમે પલાળેલા અખરોટનું સેવન કરો છો તો તેનાથી તમારું મગજ તેજ રહે છે અને યાદશક્તિ સુધરે છે. ખાસ કરીને પલાળેલા અખરોટ ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow