માત્ર વાળ જ નહીં, પરંતુ સ્કીન સુંદર રાખવી હોય તો પણ કરો ડુંગળીનો ઉપયોગ

માત્ર વાળ જ નહીં, પરંતુ સ્કીન સુંદર રાખવી હોય તો પણ કરો ડુંગળીનો ઉપયોગ

સ્કિન કેરમા ડુંગળીનો ઉપયોગ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત થઇ રહ્યો છે. ડુંગળીમાં એક ખાસ એન્ઝાઈમ હોય છે, જે સ્કિનને ફ્લેક્સિબલ અને કોમળ બનાવે છે જ્યારે સ્કિન પર તેના પ્રયોગ કરવાથી સ્કિનમાં ચમક આવે છે. તો આજે અમને જણાવીશું કે સ્કિન કેરમાં ડુંગળીના પ્રયોગ કરવાથી તમને કયા ફાયદા થાય છે.

સ્કિનમાં ચમક માટે

જો તમે ડ્રાય સ્કિનથી પરેશાન છો તો તમે ડુંગળીનું ફેસ માસ્ક બનાવીને પ્રયોગ કરી શકો છો. જે ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે અને ચહેરાની ચમક વધારે છે. જેનો પ્રયોગ કરવાથી કાળા ધબ્બા અને ખિલને દૂર કરે છે. સ્કિનમાં ચમક માટે તમારે ત્રણ ચમચી દહી અને એક નાની ડુંગળી લેવી પડશે.

ડુંગળીનું ફેસ માસ્ક બનાવવાની પદ્ધતિ

સૌથી પહેલા ડુંગળીને વાટીને તેની પેસ્ટ બનાવી નાખો. હવે ડુંગળીની પેસ્ટમાં ત્રણ ચમચી દહી ભેગુ કરો. અને તેને ચહેરા પર માસ્કની જેમ લગાવી લો. 15 મિનિટ બાદ તેને ધોઈ નાખો. આવુ તમે એક અઠવાડિયામાં એક દિવસ કરી શકો છો.

ખીલ માટે

જો તમે ખીલથી પરેશાન છો તો ખીલને દૂર કરવા માટે ડુંગળીનો પેક ચહેરા પર લગાવો. પેકને બનાવવા માટે લીંબુનો રસ 1 ચમચી, મધ 1 ચમચી અને એક ડુંગળી લો. એક ડુંગળીની પેસ્ટ બનાવી લો અને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ભેગુ કરો. હવે તેને તમારા ચહેરા પર જ્યાં ખિલ થયા હોય ત્યાં લગાવી લો. 20 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.

હોઠોની કાળાશ દૂર કરવા માટે

ડુંગળીની મદદથી તમારા હોઠ ગુલાબી થઇ શકે છે.  આ ઉપરાંત હોઠ કોમળ અને ચમકદાર પણ બની શકે છે. જેના માટે તમારે ડુંગળીના રસમાં વિટામિન ઈ તેલ ભેગુ કરો અને રાત્રે ઉંઘતા પહેલા તેને પોતાના હોઠ પર લગાવો. આમ દરરોજ કરો. એક મહિના બાદ તમારા હોઠ રંગીન થઇ જશે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow