માત્ર વાળ જ નહીં, પરંતુ સ્કીન સુંદર રાખવી હોય તો પણ કરો ડુંગળીનો ઉપયોગ

માત્ર વાળ જ નહીં, પરંતુ સ્કીન સુંદર રાખવી હોય તો પણ કરો ડુંગળીનો ઉપયોગ

સ્કિન કેરમા ડુંગળીનો ઉપયોગ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત થઇ રહ્યો છે. ડુંગળીમાં એક ખાસ એન્ઝાઈમ હોય છે, જે સ્કિનને ફ્લેક્સિબલ અને કોમળ બનાવે છે જ્યારે સ્કિન પર તેના પ્રયોગ કરવાથી સ્કિનમાં ચમક આવે છે. તો આજે અમને જણાવીશું કે સ્કિન કેરમાં ડુંગળીના પ્રયોગ કરવાથી તમને કયા ફાયદા થાય છે.

સ્કિનમાં ચમક માટે

જો તમે ડ્રાય સ્કિનથી પરેશાન છો તો તમે ડુંગળીનું ફેસ માસ્ક બનાવીને પ્રયોગ કરી શકો છો. જે ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે અને ચહેરાની ચમક વધારે છે. જેનો પ્રયોગ કરવાથી કાળા ધબ્બા અને ખિલને દૂર કરે છે. સ્કિનમાં ચમક માટે તમારે ત્રણ ચમચી દહી અને એક નાની ડુંગળી લેવી પડશે.

ડુંગળીનું ફેસ માસ્ક બનાવવાની પદ્ધતિ

સૌથી પહેલા ડુંગળીને વાટીને તેની પેસ્ટ બનાવી નાખો. હવે ડુંગળીની પેસ્ટમાં ત્રણ ચમચી દહી ભેગુ કરો. અને તેને ચહેરા પર માસ્કની જેમ લગાવી લો. 15 મિનિટ બાદ તેને ધોઈ નાખો. આવુ તમે એક અઠવાડિયામાં એક દિવસ કરી શકો છો.

ખીલ માટે

જો તમે ખીલથી પરેશાન છો તો ખીલને દૂર કરવા માટે ડુંગળીનો પેક ચહેરા પર લગાવો. પેકને બનાવવા માટે લીંબુનો રસ 1 ચમચી, મધ 1 ચમચી અને એક ડુંગળી લો. એક ડુંગળીની પેસ્ટ બનાવી લો અને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ભેગુ કરો. હવે તેને તમારા ચહેરા પર જ્યાં ખિલ થયા હોય ત્યાં લગાવી લો. 20 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.

હોઠોની કાળાશ દૂર કરવા માટે

ડુંગળીની મદદથી તમારા હોઠ ગુલાબી થઇ શકે છે.  આ ઉપરાંત હોઠ કોમળ અને ચમકદાર પણ બની શકે છે. જેના માટે તમારે ડુંગળીના રસમાં વિટામિન ઈ તેલ ભેગુ કરો અને રાત્રે ઉંઘતા પહેલા તેને પોતાના હોઠ પર લગાવો. આમ દરરોજ કરો. એક મહિના બાદ તમારા હોઠ રંગીન થઇ જશે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow