જો લોટ ફ્રિઝમાં રાખવાની આદત હોય તો ચેતી જજો નહીતર બની જશો ગંભીર બીમારીઓનો ભોગ!

જો લોટ ફ્રિઝમાં રાખવાની આદત હોય તો ચેતી જજો નહીતર બની જશો ગંભીર બીમારીઓનો ભોગ!

જો તમે પણ વાસી લોટની રોટલી બનાવીને ખાઈ રહ્યા છો, તો જરા સાવધાન થઇ જાઓ કેમકે આ લોટની રોટલી ખાવાથી તમને ઘણા પ્રકારના નુકસાન થઇ શકે છે. સામાન્ય રીતે, ઘરમાં રોટલી બનાવ્યા બાદ પણ થોડો લોટ વધે છે, જેને લોકો ફ્રિઝમાં રાખે છે તથા બીજા દિવસે ઉપયોગ કરે છે. આ ઉપરાંત, અમુક લોકો એવા પણ હોય છે, જે ટાઈમ ઓછો હોવા પર એક જ આરમાં ઘણો લોટ બાંધી રાખે છે. તો તમે આવું જરાય ન કરશો, કેમકે વાસી લોટ ખાવાથી ન માત્ર તમારું સ્વાસ્થ્ય બગડશે પરંતુ ઘરનું વાતાવરણ પણ ખરાબ થવા લાગશે. તો ચાલો જાણીએ વાસી લોટ ખાવાથી થનાર નુકસાનો

પેટની તકલીફ
જણાવી દઈએ કે લોટ બાંધ્યા બાદ તેમાં ફર્મેન્ટેશન પ્રોસેસ શરુ થઇ જાય છે, જેને કારણે લોટમાં બેક્ટેરિયા પેદા થવાના શરુ થઇ જાય છે. આવામાં જયારે તમે લોટને ફ્રીઝમાં રાખ્યા બાદ રોટલીઓ બનાવો છો, તો તમારું પેટ બગડી શકે છે. માટે કોશિશ કરો કે ફ્રિઝમાં રાખેલ લોટનો ઉપયોગ ન કરો.

ઈમ્યૂનિટી થાય છે નબળી
કોરોના કાળમાં તો ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે સારું ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમે વાસી લોટ લેવાની ભૂલ કરી રહ્યા છો તો આ આદતમાં સુધાર લાવો, કેમકે આનાથી તમારી ઈમ્યૂનિટી મજબૂત નહિ પણ નબળી બને છે.

કબજીયાતની તકલીફ
આ ઉપરાંત જો તમે વાસી લોટની રોટલીઓ લેશો તો તમને કબજીયાતની ફરિયાદ પણ થશે, તો  શક્ય હોય તો આજે જ આ પ્રકારે લોટના ઉપયોગને બંધ કરો. લોટ બાંધ્યા બાદ એક-બે કલાક બાદ જ તેનો ઉપયોગ કરી લો.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow