જો લોટ ફ્રિઝમાં રાખવાની આદત હોય તો ચેતી જજો નહીતર બની જશો ગંભીર બીમારીઓનો ભોગ!

જો લોટ ફ્રિઝમાં રાખવાની આદત હોય તો ચેતી જજો નહીતર બની જશો ગંભીર બીમારીઓનો ભોગ!

જો તમે પણ વાસી લોટની રોટલી બનાવીને ખાઈ રહ્યા છો, તો જરા સાવધાન થઇ જાઓ કેમકે આ લોટની રોટલી ખાવાથી તમને ઘણા પ્રકારના નુકસાન થઇ શકે છે. સામાન્ય રીતે, ઘરમાં રોટલી બનાવ્યા બાદ પણ થોડો લોટ વધે છે, જેને લોકો ફ્રિઝમાં રાખે છે તથા બીજા દિવસે ઉપયોગ કરે છે. આ ઉપરાંત, અમુક લોકો એવા પણ હોય છે, જે ટાઈમ ઓછો હોવા પર એક જ આરમાં ઘણો લોટ બાંધી રાખે છે. તો તમે આવું જરાય ન કરશો, કેમકે વાસી લોટ ખાવાથી ન માત્ર તમારું સ્વાસ્થ્ય બગડશે પરંતુ ઘરનું વાતાવરણ પણ ખરાબ થવા લાગશે. તો ચાલો જાણીએ વાસી લોટ ખાવાથી થનાર નુકસાનો

પેટની તકલીફ
જણાવી દઈએ કે લોટ બાંધ્યા બાદ તેમાં ફર્મેન્ટેશન પ્રોસેસ શરુ થઇ જાય છે, જેને કારણે લોટમાં બેક્ટેરિયા પેદા થવાના શરુ થઇ જાય છે. આવામાં જયારે તમે લોટને ફ્રીઝમાં રાખ્યા બાદ રોટલીઓ બનાવો છો, તો તમારું પેટ બગડી શકે છે. માટે કોશિશ કરો કે ફ્રિઝમાં રાખેલ લોટનો ઉપયોગ ન કરો.

ઈમ્યૂનિટી થાય છે નબળી
કોરોના કાળમાં તો ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે સારું ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમે વાસી લોટ લેવાની ભૂલ કરી રહ્યા છો તો આ આદતમાં સુધાર લાવો, કેમકે આનાથી તમારી ઈમ્યૂનિટી મજબૂત નહિ પણ નબળી બને છે.

કબજીયાતની તકલીફ
આ ઉપરાંત જો તમે વાસી લોટની રોટલીઓ લેશો તો તમને કબજીયાતની ફરિયાદ પણ થશે, તો  શક્ય હોય તો આજે જ આ પ્રકારે લોટના ઉપયોગને બંધ કરો. લોટ બાંધ્યા બાદ એક-બે કલાક બાદ જ તેનો ઉપયોગ કરી લો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow