વધારે ઉંઘવાની ટેવ હોય તો સાવધાન, થઈ શકે છે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી, સ્ટડી રિપોર્ટ જાણી ચોંકી જશો

વધારે ઉંઘવાની ટેવ હોય તો સાવધાન, થઈ શકે છે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી, સ્ટડી રિપોર્ટ જાણી ચોંકી જશો

જ્યારે પણ આપણને થાક લાગે છે, ત્યારે ડોક્ટર સારી ઊંઘ લેવાની સલાહ આપે છે. રાત્રે સુવાથી શરીરને આરામ મળે છે.  

તેમ છતાં તમને જણાવી દઈએ કે, વધુ સમય સુધી સુવાથી તમારો જીવ પણ જઈ શકે છે. આ બાબતે કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

વેબએમડી અનુસાર જો તમે યોગ્ય સમય કરતા વધુ સમય સુધી સુતા રહો તો, તેના કારણે તમને ડાયાબિટીસ, હૃદય રોગની સમસ્યા તથા અન્ય બીમારી પણ થઈ શકે છે.  

સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, વધુ સમય સુધી સૂવામાં આવે તો તણાવ અથવા માનસિક બિમારીના શિકાર પણ થઈ શકાય છે. વધુ સમય સુધી સુવાથી શરીરને કયા કયા નુકસાન થાય છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.  

ડાયાબિટીસ

સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, નિશ્ચિત સમય કરતા ઓછો અથવા વધુ સમય સુધી સુવાથી તમને ડાયાબિટીસ પણ થઈ શકે છે.

મેદસ્વીતા

સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, દરરોજ 9 થી 10 કલાક ઊંઘ લેવામાં આવે તો આગામી છ વર્ષમાં તમે 21 ટકા મેદસ્વીતાનો શિકાર થઈ શકો છો.

માથાનો દુ:ખાવો

જો તમે વિકેન્ડમાં અથવા દરરોજ વધુ સમય સુધી સૂઈ રહ્યા છો, તો તેના કારણે માથામાં દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે. શરીરમાં સેરોટોનિનનું સ્તર વધવાથી આ પ્રકારે થાય છે.

તણાવ

અનિંદ્રાના કારણે તણાવની સમસ્યા થાય છે. તે જ પ્રકારે નિશ્ચિત સમય કરતાં વધુ સમય સુધી સુવાથી પણ તણાવ થઈ શકે છે. વિશ્વમાં 15% લોકો એવા છે,‌ જેમણે વધુ પડતી ઊંઘ લીધી હોવાથી તેઓ તણાવની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

હૃદય રોગ

સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 9 થી 11 કલાક ઊંઘ લેતી મહિલાઓમાં અન્ય મહિલાઓની સરખામણીએ કોરોનરી હાર્ટ ડિસીઝની સમસ્યા વધુ જોવા મળી છે.

મૃત્યુની સંભાવના

સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જે લોકો રાત્રે 9 થી 11 કલાક સુધી સુવે છે તેઓના ડેથ રેટ વધુ હોય છે, જેના કારણે માનસિક અથવા શારીરિક બીમારી થઈ શકે છે. આ કારણોસર મૃત્યુ થવાની સંભાવના વધુ રહે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow