આયુર્વેદના સાવ સરળ લાગે તેવા નિયમો અપનાવશો તો કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે

આયુર્વેદના સાવ સરળ લાગે તેવા નિયમો અપનાવશો તો કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે

આયુર્વેદ એક એવી ચિકિત્સા પ્રણાલી છે, જેનો ઉપયોગ સદીઓથી થઇ રહ્યો છે. આ પદ્ધતિમાં ગંભીર રોગોનો ઇલાજ પણ છુપાયેલો છે. આયુર્વેદિક ઔષધીઓની કોઇ સાઇડ ઇફેક્ટ હોતી નથી. આ પદ્ધતિના સાવ સરળ લાગે તેવા નિયમો જો અનુસરવામાં આવે તો તમે સ્વસ્થ રહેશો અને કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે.

રોજ સવારે જલદી ઊઠોઃ
સવારે સૂર્યોદય થાય તે પહેલાં પથારી છોડી દો. આયુર્વેદ અનુસાર સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુદ્ધ અને નિર્મળ હોવું જોઇએ. તે તમારા શરીર માટે લાભદાયક છે, તેનાથી તમને તાજગી મળે છે.  

નિત્યક્રિયા છે ખૂબ જરૂરીઃ
સવારે ઊઠતાં સૌથી પહેલાં મળમૂત્રનો ત્યાગ કરો, તેનાથી તમારા શરીરની અંદર રહેલાં ઝેરીલાં તત્ત્વો બહાર નીકળે છે અને તમે તાજગી તેમજ હળવાશ અનુભવો છો. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે બેથી ત્રણ ગ્લાસ પાણી પીઓ. યોગાસન અને પ્રાણાયામ કરવાનું ક્યારેય ના ભૂલતાઃ રોજ ઓછામાં ઓછી ૩૦થી ૪૦ મિનિટ યોગાસન અને પ્રાણાયામ માટે ફાળવો, તેનાથી તમે સ્વસ્થ રહી શકશો.

નિયમિત માલિશ શરીરને મજબૂત બનાવશેઃ
રોજ સરસવ, નારિયેળ કે અન્ય કોઇ ઔષધીય તેલથી શરીર પર ૧૫ મિનિટ માલીશ કરો, તેનાથી તમારાં હાડકાં મજબૂત થશે અને તમારા શરીરનો બધો થાક દૂર થશે. રોજ ના કરી શકો તો વીકમાં બે વાર જરૂર કરો.

આ નિયમો પણ જરૂરથી પાળજો
- દિવસમાં લગભગ ત્રણથી ચાર લિટર પાણી પીઓ. રાતે સૂતી વખતે વધુ પાણી ન પીઓ.
- સવારે ઊઠ્યાના એકથી બે કલાકની અંદર જ નાસ્તો કરી લો. ખાવાનું પૌષ્ટિક હોય તે ખૂબ જરૂરી છે.
- જમ્યા પછી તરત પાણી ન પીઓ, કેમ કે તેનાથી જમવાનું પચતું નથી. અડધાથી પોણા કલાકનું અંતર રાખો.
- ભોજન કર્યા પછી તરત પરિશ્રમવાળું કામ ના કરો.
- આઠથી નવ કલાકની એકધારી, સારી ઊંઘ લો. સૂતાં પહેલાં ઠંડા પાણીથી હાથ અને પગ ધુઓ, તેનાથી સારી ઊંઘ આવશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow