કમરના દુ:ખાવાને ભૂલથી પણ ઇગ્નોર ના કરતા નહીં તો...., હોઈ શકે છે કોઈ મોટી બીમારીનો સંકેત

કમરના દુ:ખાવાને ભૂલથી પણ ઇગ્નોર ના કરતા નહીં તો...., હોઈ શકે છે કોઈ મોટી બીમારીનો સંકેત

ઉંમર સાથે શરીરમાં ઘણા ફેરફારો થાય છે. તેમાંથી એક છે પીઠનો દુખાવો. જો કે પીઠનો દુખાવો ઉંમરની સાથે વધે છે, જેને મોટાભાગના લોકો તેને અવગણે છે. કોવિડ-19 પછી ઘણા લોકો માટે પીઠના નીચેના ભાગમાં દુખાવાની સમસ્યા વધી છે. આ દુખાવો કમરની જમણી અને ડાબી બાજુએ થાય છે. જે અમુક સમયે ગંભીર અને પીડાદાયક હોઈ શકે છે.

પીઠના નીચેના ભાગમાં દુખાવો મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાઓમાંની એક છે. આ સ્થિતિ સ્નાયુઓ, હાડકાં અને લિગામેન્ટ્સને અસર કરી શકે છે. કમરની જમણી અને ડાબી બાજુનો દુખાવો કરોડરજ્જુની ડિસ્ક સાથે સંબંધિત હોઈ શકે છે. એવામાં પીઠમાં દુખાવો કેમ થાય છે આપણે તેના વિશે જાણીએ.

મસલ્સમાં ખેચાણ અથવા મચકોડ
કમરની બંને બાજુએ દુખાવો થવાનું સૌથી સામાન્ય કારણ સ્નાયુમાં મચકોડ અથવા તાણ છે. આ ઘણીવાર ખરાબ પોશ્ચર અને કસરત દરમિયાન થાય છે. આ સ્થિતિમાં સ્નાયુઓ પોપ-અપ થાય છે. ખોટી રીતે ઉઠવાથી અને વધુ વજન ઉપાડવાને કારણે પણ આ દુખાવો થઈ શકે છે.

ખરાબ પોશ્ચર
વૃદ્ધાવસ્થા અને ખરાબ પોશ્ચર એ બે મુખ્ય કારણો છે જે લોકોને કમરની ડાબી અને જમણી બાજુએ દુખાવો અનુભવ કરાવી શકે છે. કોવિડ પછી આ સમસ્યા વધુ વધી છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી પણ કમરનો દુખાવો થઈ શકે છે. પીઠ અને કોરના નબળા થવા પર પણ કમરમાં દુખાવો વધી જાય છે. તેથી જ બેસવાની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

નબળા સ્નાયુઓ
જો આપણે કોર વિશે વાત કરીએ તો, કરોડરજ્જુ સુરક્ષિત ન હોય તો પણ પીઠમાં દુખાવો થઈ શકે છે. કોર મસલ્સ કરોડરજ્જુની સાથે જમણી અને ડાબી બાજુના સ્નાયુઓ સાથે પણ જોડાયેલા છે. જો કોર નબળો હોય તો કરોડરજ્જુમાં વળાંક આવવાની અને પીડા થવાની શક્યતા વધી જાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow