આ 3 સમસ્યાથી પરેશાન હોવ તો ભૂલથી પણ ખાવું જોઈએ લસણ, પડી જશે લેવાના દેવા

આ 3 સમસ્યાથી પરેશાન હોવ તો ભૂલથી પણ ખાવું જોઈએ લસણ, પડી જશે લેવાના દેવા

લસણ આપણી રસોઇનું એક મહત્વનો ભાગ છે, અનેક ભોજનનો સ્વાદ તેના વિના અધૂરો છે. લસણની તાસીર ગરમ હોય છે, સાથે તેમાં મળનારા ન્યુટ્રિએટ્સ શરીરમાં અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે. લસણ એક આયુર્વેદિક ઔષધિ છે. તેમાં જોવા મળનારા પાવરફૂલ એન્ટી ઓક્સિડેન્ટ અનેક બીમારીઓથી લડવામાં તમારી મદદ કરે છે. ખાસ કરીને શરદી-ખાંસી અને ઉધરસમાં તો રામબાણ કામ કરે છે.

આ લોકોએ ના ખાવુ લસણ
આ વાતમાં કોઇ જ બેમત નથી, લસણ આપણી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડી શકે છે. પરંતુ આનુ વધારે સેવન અને અમુક ખાસ સ્થિતિમાં લસણ ખાવાથી નુકશાનકારક સાબિત થઇ શકે છે. આવો જાણીએ કે ક્યા ક્યા લોકોએ લસણનું સેવન કરવાથી બચવુ જોઇએ.

1. ડાયાબિટીસના દર્દી
જે લોકોને ડાયાબિટીસની બીમારી છે, તેઓએ એક લિમિટમાં જ લસણનું સેવન કરવુ જોઇએ. કારણ કે જો તમે બેદરકારી કરી તો બ્લડ શુગરનું લેવલ ઘણુ ઓછુ થઇ શકે છે, જેના કારણે કમજોરી કે ચક્કરની સમસ્યા થઇ શકે છે.

2. લિવર, આંતરડા અને પેટમાં ગરબડ
આ લોકોએ લસણ ખાવાનું ટાળવું જોઈએ, જેમને લિવર, આંતરડા અને પેટ સંબંધિત સમસ્યાઓ છે, કારણ કે જ્યારે આંતરડામાં ઘા અને ફોલ્લા હોય ત્યારે લસણ પીડાને વધારે છે. લિવરના દર્દીઓ કેટલીક દવાઓ લે છે જે લસણ સાથે પ્રતિક્રિયા આપી શકે છે.

3. જેનુ હાલમાં જ ઓપરેશન થયુ છે
તાજેતરમાં જેનું ઓપરેશન થયું હોય તેમના માટે લસણ ખતરનાક સાબિત થાય છે. વાસ્તવમાં આ ખોરાક કુદરતી લોહીને પાતળુ (Natural Blood Thinner) કરવાની જેમ કામ કરે છે. જો લોહી પાતળું હોય તો ઘા રૂઝાવવામાં સમય લાગી શકે છે

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow