આ 3 સમસ્યાથી પરેશાન હોવ તો ભૂલથી પણ ખાવું જોઈએ લસણ, પડી જશે લેવાના દેવા

આ 3 સમસ્યાથી પરેશાન હોવ તો ભૂલથી પણ ખાવું જોઈએ લસણ, પડી જશે લેવાના દેવા

લસણ આપણી રસોઇનું એક મહત્વનો ભાગ છે, અનેક ભોજનનો સ્વાદ તેના વિના અધૂરો છે. લસણની તાસીર ગરમ હોય છે, સાથે તેમાં મળનારા ન્યુટ્રિએટ્સ શરીરમાં અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે. લસણ એક આયુર્વેદિક ઔષધિ છે. તેમાં જોવા મળનારા પાવરફૂલ એન્ટી ઓક્સિડેન્ટ અનેક બીમારીઓથી લડવામાં તમારી મદદ કરે છે. ખાસ કરીને શરદી-ખાંસી અને ઉધરસમાં તો રામબાણ કામ કરે છે.

આ લોકોએ ના ખાવુ લસણ
આ વાતમાં કોઇ જ બેમત નથી, લસણ આપણી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડી શકે છે. પરંતુ આનુ વધારે સેવન અને અમુક ખાસ સ્થિતિમાં લસણ ખાવાથી નુકશાનકારક સાબિત થઇ શકે છે. આવો જાણીએ કે ક્યા ક્યા લોકોએ લસણનું સેવન કરવાથી બચવુ જોઇએ.

1. ડાયાબિટીસના દર્દી
જે લોકોને ડાયાબિટીસની બીમારી છે, તેઓએ એક લિમિટમાં જ લસણનું સેવન કરવુ જોઇએ. કારણ કે જો તમે બેદરકારી કરી તો બ્લડ શુગરનું લેવલ ઘણુ ઓછુ થઇ શકે છે, જેના કારણે કમજોરી કે ચક્કરની સમસ્યા થઇ શકે છે.

2. લિવર, આંતરડા અને પેટમાં ગરબડ
આ લોકોએ લસણ ખાવાનું ટાળવું જોઈએ, જેમને લિવર, આંતરડા અને પેટ સંબંધિત સમસ્યાઓ છે, કારણ કે જ્યારે આંતરડામાં ઘા અને ફોલ્લા હોય ત્યારે લસણ પીડાને વધારે છે. લિવરના દર્દીઓ કેટલીક દવાઓ લે છે જે લસણ સાથે પ્રતિક્રિયા આપી શકે છે.

3. જેનુ હાલમાં જ ઓપરેશન થયુ છે
તાજેતરમાં જેનું ઓપરેશન થયું હોય તેમના માટે લસણ ખતરનાક સાબિત થાય છે. વાસ્તવમાં આ ખોરાક કુદરતી લોહીને પાતળુ (Natural Blood Thinner) કરવાની જેમ કામ કરે છે. જો લોહી પાતળું હોય તો ઘા રૂઝાવવામાં સમય લાગી શકે છે

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow