જો તમને પણ છે રોજના 7થી 8 કલાક સૂવાની આદત? તો ચેતી જજો, નહીં તો બનશો આ 5 બીમારીના ભોગ

જો તમને પણ છે રોજના 7થી 8 કલાક સૂવાની આદત? તો ચેતી જજો, નહીં તો બનશો આ 5 બીમારીના ભોગ

sleeping Tips:દરેક વ્યક્તિ માટે હેલ્દી ખોરાક ખાવો જરુરી છે તેટલી જ ભરપૂર ઊંઘ લેવી પણ જરુરી છે. જે લોકો 7-8 કલાકથી ઓછી ઊંઘ લે છે, તેઓ પોતાના શરીરમાં અનેક બીમારીઓ પેદા થવાનો ખતરો રહેલો છે.  

શરીરને આખો દિવસ એક્ટિવ અને હેલ્દી રાખવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરુરી છે. તમે જાણતા હશો કે અપુરતી ઊંઘ શરીર પર ખરાબ અસર કરે છે, પરંતુ શું તમે તે જાણો છો કે વધારે પડતી ઊંઘ પણ સ્વાસ્થ્યને ખૂબ જ નુકશાન પહોંચાડી શકે છે ? જો રોજ તમે 8-9 કલાકથી વધારે સુવો છો તે તમારે તેનાથી થનારા નુકશાન વિશે જાણી લેવુ જોઇએ.

વધારે સુવાથી શરીર પર પડે છે આ ખરાબ અસર
1. માથામાં દુખાવો : વધારે સુવાથી ન્યુરોટ્રાંસમીટર પર ખરાબ અસર થાય છે, જેનાથી તમારા માથામાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. જો તમે લાંબા સમય સુધી સુતા રહો છો તો તમારી રાતની ઊંઘમાં સમસ્યા થઇ શકે છે. જે બાદમાં માથાના દુખાવાનું કારણ બની શકે છે.

સતત આરામ કરવો <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/સ્વાસ્થ્ય' title='સ્વાસ્થ્ય'>સ્વાસ્થ્ય</a> માટે હાનિકારક, આજથી જ આદત સુધારજો નહીં તો આ 5  બીમારીમાં સપડાઇ જશો too much sleep causes many <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/diseases' title='diseases'>diseases</a> in the body

2. મેદસ્વીતા: મેદસ્વીતા કેન્સર અને ડાયાબિટીસ સહિક અનેક બીમારીઓનું કારણ બને છે. વધારે સુવાથી જાડાપણાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. આ કારણ છે કે વધારે ઊંઘવાથી બચવુ જોઇએ. જો કે ઓછી ઊંઘ લેવી પણ એક સમસ્યાનું કારણ બની શકે છે.

3. ટાઇપ 2 ડાયાબિટીસ: બિનજરુરી ઊંઘથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનો ભય રહે છે કારણ કે વધારે ઊંઘવાથી મેદસ્વીતા વધે છે, જે ડાયબિટીના જોખમને પેદા કરી શકે છે.

4. હૃદયને લગતા રોગ: વધારે સુવાથી તમને હૃદયને લગતી બીમારીઓ થઇ શકે છે. જે લોકો જરુર કરતા વધારે સુતા હોય તો તેમના શરીરમાં હૃદય રોગનો પેદા થવાનો ખતરો વધારે હોય છે. આંકડા બતાવે છે કે જે લોકો રોજ રાત્રે 11 કલાક સુવે છે તેમને હૃદયની બીમારી વિકસિત થવાની સંભાવના અન્ય લોકો કરતા વધારે હોય છે. અન્ય લોકો 7થી 8 કલાક સુવે છે.

Topic | VTV Gujarati

5. ડિપ્રેશન: ડિપ્રેશનથી પીડિત લોકો ઓછી ઊંઘના કારણે પીડિત હોય છે. જો કે અમુક એવા પણ લોકો છે જે જરુર કરતા વધારે સુવે છે. વધારે સુવાથી સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. આ જ કારણ છે કે કોઇ વ્યક્તિએ ન તો વધારે અને ના ઓછી ઊંઘ લેવી જોઇએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow