આ લેયર તૂટશે તો કેન્સર જેવા જીવલેણ રોગ વધશે!

આ લેયર તૂટશે તો કેન્સર જેવા જીવલેણ રોગ વધશે!

આમ જુઓ તો અત્યારે ચોમાસું પૂરું થવામાં હોય અને શિયાળાની આલબેલ વાગતી હોય. સવારમાં ઠંડકનો ચમકારો અનુભવાય, પણ અત્યારે એવું અનુભવાતું નથી. બફારો, ગરમી, તાપ... વધતાં જાય છે. જો સપ્ટેમ્બરમાં આટલી ગરમી હોય તો એપ્રિલ-મે મહિનામાં શું થશે, આ વિચારથી જ પરસેવો છૂટી જાય. આ બફારો, ગરમી વધવાનું કારણ છે ઓઝોન લેયરનું તૂટતાં જવું. ઓઝોન શબ્દ જાણીતો છે, ભણવામાં પણ આવે છે છતાં સરળ શબ્દોમાં સમજીએ તો સૂરજદાદાની જોરદાર ગરમી પૃથ્વી પર સીધી પડે તો દાઝી જવાય, એટલે ભગવાને પૃથ્વી અને સૂર્ય વચ્ચે મચ્છરજાળી જેવું લેયર પાથરી દીધું. આ લેયર એ ઓઝોન. મચ્છર જાળી તૂટી જાય તો મચ્છર ઘૂસી આવે, એવી જ રીતે ઓઝોન લેયર તૂટતું જાય છે એટલે સૂર્યનો સીધો ગરમાગરમ તડકો પૃથ્વીને દઝાડે છે. ઓઝોન પ્રત્યે લોકોમાં અવેરનેસ આવે એટલે 16 સપ્ટેમ્બરે મનાવાય છે, ઓઝોન ડે.

આ વર્ષે વર્લ્ડ ઓઝોન ડેની થીમ 'ઓઝોનનું જતન કરવું અને વાતાવરણનું રક્ષણ કરવું' છે. "ઓઝોન(OZONE)"પૃથ્વીનું સુરક્ષાકવચ છે, જે પૃથ્વીની સપાટીથી આશરે 15થી 30 કિલોમીટર ઊંચાઈએ રહેલું છે. હવે આ ઓઝોન શું છે, એના સમગ્ર જીવસૃષ્ટિ પર કેવા આશીર્વાદ છે એ અંગે ચર્ચા કરીશું.

ઓઝોન લેયર વિશે બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયાન્સ, લખનઉના ડાયરેક્ટર ડો. મહેશ ઠાકરે જણાવ્યું હતું કે ઓઝોન એક મહત્ત્વપૂર્ણ લેયર છે. એની સાયન્ટિફિક રીતે સમજીએ તો પૃથ્વીનાં જે લેયર ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રોટોસ્ફિયર બંનેમાં થઈને ઓઝોનનું પ્રમાણ 0.3PPM(પાર્ટ પર મિલિયન) છે, એટલે કે હવાની અંદર 10 લાખ કણો હોય, એમાં 0.3 કણ જ ઓઝોન છે, જે ખૂબ જ ઓછા છે.

સૂર્યમાંથી આવતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સજીવસૃષ્ટિ માટે સૌથી ઘાતક છે. આ કિરણો આપણા શરીરમાં રહેલા સેલ અને કોસને ધીમે-ધીમે બાળી શકે છે. આ કિરણો ડાયરેક્ટ આપણી સ્કીન પર પડે તો આપણી અંદર કેન્સરના સેલ બનાવી શકે છે, એટલે ઓઝોન એક એવું લેયર છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે, એટલે કહી શકાય કે સજીવસૃષ્ટિ માટે ઓઝોન સૌથી મોટું પ્રોટેક્ટિવ લેયર છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow