આ લેયર તૂટશે તો કેન્સર જેવા જીવલેણ રોગ વધશે!

આ લેયર તૂટશે તો કેન્સર જેવા જીવલેણ રોગ વધશે!

આમ જુઓ તો અત્યારે ચોમાસું પૂરું થવામાં હોય અને શિયાળાની આલબેલ વાગતી હોય. સવારમાં ઠંડકનો ચમકારો અનુભવાય, પણ અત્યારે એવું અનુભવાતું નથી. બફારો, ગરમી, તાપ... વધતાં જાય છે. જો સપ્ટેમ્બરમાં આટલી ગરમી હોય તો એપ્રિલ-મે મહિનામાં શું થશે, આ વિચારથી જ પરસેવો છૂટી જાય. આ બફારો, ગરમી વધવાનું કારણ છે ઓઝોન લેયરનું તૂટતાં જવું. ઓઝોન શબ્દ જાણીતો છે, ભણવામાં પણ આવે છે છતાં સરળ શબ્દોમાં સમજીએ તો સૂરજદાદાની જોરદાર ગરમી પૃથ્વી પર સીધી પડે તો દાઝી જવાય, એટલે ભગવાને પૃથ્વી અને સૂર્ય વચ્ચે મચ્છરજાળી જેવું લેયર પાથરી દીધું. આ લેયર એ ઓઝોન. મચ્છર જાળી તૂટી જાય તો મચ્છર ઘૂસી આવે, એવી જ રીતે ઓઝોન લેયર તૂટતું જાય છે એટલે સૂર્યનો સીધો ગરમાગરમ તડકો પૃથ્વીને દઝાડે છે. ઓઝોન પ્રત્યે લોકોમાં અવેરનેસ આવે એટલે 16 સપ્ટેમ્બરે મનાવાય છે, ઓઝોન ડે.

આ વર્ષે વર્લ્ડ ઓઝોન ડેની થીમ 'ઓઝોનનું જતન કરવું અને વાતાવરણનું રક્ષણ કરવું' છે. "ઓઝોન(OZONE)"પૃથ્વીનું સુરક્ષાકવચ છે, જે પૃથ્વીની સપાટીથી આશરે 15થી 30 કિલોમીટર ઊંચાઈએ રહેલું છે. હવે આ ઓઝોન શું છે, એના સમગ્ર જીવસૃષ્ટિ પર કેવા આશીર્વાદ છે એ અંગે ચર્ચા કરીશું.

ઓઝોન લેયર વિશે બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયાન્સ, લખનઉના ડાયરેક્ટર ડો. મહેશ ઠાકરે જણાવ્યું હતું કે ઓઝોન એક મહત્ત્વપૂર્ણ લેયર છે. એની સાયન્ટિફિક રીતે સમજીએ તો પૃથ્વીનાં જે લેયર ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રોટોસ્ફિયર બંનેમાં થઈને ઓઝોનનું પ્રમાણ 0.3PPM(પાર્ટ પર મિલિયન) છે, એટલે કે હવાની અંદર 10 લાખ કણો હોય, એમાં 0.3 કણ જ ઓઝોન છે, જે ખૂબ જ ઓછા છે.

સૂર્યમાંથી આવતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સજીવસૃષ્ટિ માટે સૌથી ઘાતક છે. આ કિરણો આપણા શરીરમાં રહેલા સેલ અને કોસને ધીમે-ધીમે બાળી શકે છે. આ કિરણો ડાયરેક્ટ આપણી સ્કીન પર પડે તો આપણી અંદર કેન્સરના સેલ બનાવી શકે છે, એટલે ઓઝોન એક એવું લેયર છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે, એટલે કહી શકાય કે સજીવસૃષ્ટિ માટે ઓઝોન સૌથી મોટું પ્રોટેક્ટિવ લેયર છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow