દીકરાના બીજે લગ્ન કરાવ્યા હોત તો અમને દહેજ વધુ મળત

દીકરાના બીજે લગ્ન કરાવ્યા હોત તો અમને દહેજ વધુ મળત

શહેરના લક્ષ્મીનગર રોડ પર શ્રીરામ મધુવન સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી માવતરે રહેતી પ્રિયંકા નામની પરિણીતાએ વીરપુર રહેતા પતિ પ્રતિક, સસરા મગનભાઇ પરબતભાઇ માલાણી, સાસુ પ્રજ્ઞાબેન, નણંદ ક્રિષ્નાબેન પ્રશાંતભાઇ ત્રાડા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખાનગી પેઢીમાં નોકરી કરતી પરિણીતાની ફરિયાદ મુજબ, પ્રતિક સાથે પ્રેમસંબંધ બંધાતા વડિયા ગામે 2018માં કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ બંને અલગ અલગ રહેતા હતા. ત્યાર બાદ પરિવારજનોની સહમતીથી 2020માં રાજકોટમાં લગ્ન કર્યા હતા, પરંતુ પ્રેમલગ્ન માત્ર ત્રણ મહિનામાં જ પરાયો થઇ ગયો હતો. પ્રતિક સામાન્ય બાબતે ઝઘડાઓ કરતો હતો. જેમાં સાસુ, નણંદ પ્રતિકની તરફદારી કરતા હતા. જેને કારણે મામલો વધુ વણસતો હતો. સાસુ-નણંદ ઘરકામ મુદ્દે ત્રાસ આપી તું કંઇ કરિયાવરમાં લાવી નથી, અમારા સ્ટેટસ મુજબ આ કરિયાવર ઓછું છે તેમ કહી મેણાં મારતા હતા. એટલું જ નહિ તારા કરતા બીજે મારા દીકરાના લગ્ન કર્યા હોત તો અમને દહેજમાં ઘણું મળ્યું હોત કહી વારંવાર ત્રાસ આપતા રહેતા હતા. અંતે પોતે માવતર આવી ગઇ હતી.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow