ભગવાન વિષ્ણુ સાથે શનિદેવની પૂજા કરવામાં આવે તો કુંડળીના ગ્રહ દોષો દૂર થઇ શકે

ભગવાન વિષ્ણુ સાથે શનિદેવની પૂજા કરવામાં આવે તો કુંડળીના ગ્રહ દોષો દૂર થઇ શકે

શનિવાર એટલે કે 1લી એપ્રિલ ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી છે. જેને કામદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરનારા ભક્તોની તમામ મનોકામનાઓ વિષ્ણુની કૃપાથી પૂર્ણ થાય છે. શનિવારે એકાદશી હોવાને કારણે જો તમે આ દિવસે શનિદેવની પૂજા કરો છો તો કુંડળીના ગ્રહ દોષો શાંત થઈ શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, શનિવાર અને એકાદશીના યોગમાં કાળા તલ અને તેલનું દાન અવશ્ય કરવું જોઈએ. એવી માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલ ધાર્મિક કાર્ય અક્ષય પુણ્ય આપે છે, જેની શુભ અસર જીવનભર રહે છે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી વ્રત વિશે જણાવ્યું હતું.

સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી માહાત્મ્ય નામના અધ્યાયમાં વર્ષની તમામ એકાદશીઓ કહેવામાં આવી છે. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ એકાદશીનું વ્રત કરે છે તેમના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા રહે છે.

જાણો એકાદશી પર કયા- કયા શુભ કાર્યો કરી શકાય છે
એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પણ કરીને દિવસની શરૂઆત કરો. તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં ચોખા અને લાલ ફૂલ ચઢાવો, પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી ઘરના મંદિરમાં પૂજા કરો.

સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરો. ગણપતિને જળ, પંચામૃત અને પછી જળ અર્પણ કરો. હાર- ફૂલ અને નવા વસ્ત્રો અર્પણ કરો. લાડુનો ભોગ ચઢાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો.

ગણેશની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાનો સંકલ્પ લો. કેસર મિશ્રિત દૂધથી ભગવાનનો અભિષેક કરો. નવા વસ્ત્રો અર્પણ કરો. ફૂલથી શૃંગાર કરો. ચંદનથી તિલક કરો. અગરબત્તી પ્રગટાવો. તુલસી સાથે મીઠાઈઓ અને મોસમી ફળોનો ભોગ ચઢાવો. આ બાદ આરતી કરો. પૂજા કર્યા પછી ક્ષમા માગો અને પ્રસાદ વહેંચો અને તમે પણ લો. તેવી જ રીતે બાલ ગોપાલની પણ પૂજા કરવી જોઈએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow