સાસુ-વહૂનો ઝગડો તો રોજનો, તેનાથી કંઈ પડોશની શાંતિ ભંગ ન થઈ શકે- કોર્ટનો ચુકાદો

સાસુ-વહૂનો ઝગડો તો રોજનો, તેનાથી કંઈ પડોશની શાંતિ ભંગ ન થઈ શકે- કોર્ટનો ચુકાદો

સાસુ અને વહૂ વચ્ચેનો ઝગડો સામાન્ય છે અને કોઈ એવું ઘર ખાલી નહીં હોય કે જ્યાં સાસુ-વહૂ વચ્ચે ઝગડા ન થતા હોય. સાસુ વહૂના ઝગડા પર દિલ્હીની એક કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.  એક મહત્વના ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે, ઘરની અંદર સાસુ-વહુનો વિવાદ થવો સામાન્ય વાત છે. આ પડોશીઓ અને બહારના લોકો માટે શાંતિના ભંગ માટેનું કોઈ કારણ ન બની શકે. દિલ્હીની તીસ હજારી કોર્ટના એડિશનલ સેશન્સ જજ મનીષ ખુરાનાની કોર્ટે આ કેસમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઇએમ) દ્વારા પુત્રવધૂ વિરુદ્ધ જારી કરવામાં આવેલી સીઆરપીસીની કલમ 107/111 રદ કરવાનો આદેશ આપ્યો હતો.

દર વખતે વહુ ખોટી હોય એવું ન બને
કોર્ટે કહ્યું કે જરૂરી નથી કે દર વખતે વહુ ખોટી હોય, તેની વાતો પણ સાચી હોય છે. આ કેસમાં પોલીસે સમજદારીથી કામ લેવું જોઈતું હતું. ઘરેલું ઝઘડાઓને શાંતિને ખલેલ પહોંચાડવા માટેનો આધાર ન બનાવવો જોઈએ.  કોર્ટે એમ પણ કહ્યું કે, આ મામલે વહુનો પક્ષ સાંભળવામાં નથી આવ્યો. તેમણે પુત્રવધૂને સીધી દોષી ઠેરવી દીધી છે.

શું હતો મામલો
અરજદાર વહૂએ કોર્ટને જણાવ્યું હતું કે, તેની સાસુ સાથે 20 ડિસેમ્બર, 2018ના રોજ ઝઘડો થયો હતો. સાસુએ પોલીસને બોલાવી. પોલીસે પુત્રવધૂ સામે શાંતિ ભંગ બદલ ગુનો નોંધ્યો છે. મહિલાને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઈએમ) સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં એસઈએમે પુત્રવધૂને દોષિત ઠેરવી હતી અને છ મહિના માટે બોન્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પુત્રવધૂએ એસઈએમના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે આ કેસને શાંતિ ભંગના કેસ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow