પતિ-પત્ની દરરોજ કરે આ કામ તો સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ

પતિ-પત્ની દરરોજ કરે આ કામ તો સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ

આ કામ કરવાથી લગ્ન જીવન મધુર રહેશે

મહાન અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્યએ લગ્ન જીવનને ખુશહાલ બનાવવા માટે ઘણા ઉપાય જણાવ્યાં છે. આ સાથે તેમણે પોતાની નીતિઓમાં સ્ત્રી-પુરૂષને લઇને અમુક એવા કામ જણાવ્યાં છે,  

જેને દરરોજ કરવાથી પતિ-પત્નીની વચ્ચે ક્યારેય તણાવ આવતો નથી. ચાણક્ય નીતિઓમાં એવા કામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કરવાથી લગ્ન જીવન ખુશહાલ રહે છે. આવો તમને જણાવીએ કે આચાર્ય ચાણક્યએ કયા કામોને દરરોજ કરવાની સલાહ આપી છે, જેનાથી પતિ-પત્નીનો સંબંધ મજબૂત થાય છે.

પતિ-પત્નીએ એકબીજાનુ માન જાળવવુ જોઈએ

લગ્ન જીવનને વધુ સારું બનાવવા માટે સૌથી જરૂરી છે કે બંનેની વચ્ચે પ્રેમ હોય અને બંને એકબીજાની ઈજ્જત કરતા હોય. ચાણક્ય નીતિમાં આ વાતને જણાવવામાં આવી છે કે પ્રેમની સાથે ઈજ્જત હોવાથી સંબંધ સુંદર થાય છે. તેથી હંમેશા પતિ-પત્નીએ એકબીજાનુ માન જાળવવુ જોઈએ અને માન-સન્માન આપવુ જોઈએ.

ક્યારેય અભિમાન ના કરશો

આચાર્ય ચાણક્ય મુજબ, પતિ-પત્ની ગાડીના બે પૈડા જેવા હોય છે અને ગાડી મુજબ સંબંધ ત્યારે જ સારો ચાલે છે જ્યારે તેના બે પૈડા મળીને આગળ વધે. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે પતિ-પત્નીએ ક્યારેય પણ કોઈ વાતનો ઘમંડ ના કરવો જોઈએ. એકબીજાએ ઘમંડ કરવાથી સંબંધ ખરાબ થાય છે.

ખાનગી વાતો કોઈને ના કરો શેર

આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે પતિ-પત્નીએ પોતાની ખાનગી વાતોને કોઈને પણ કહેવી ના જોઈએ. આમ કરવાથી સંબંધ ખરાબ થાય છે, કારણકે પતિ-પત્ની વચ્ચે થતી વાતોને શેર કરવાથી એકબીજાનો ભરોસો તુટે છે. આ વાતનુ ધ્યાન પતિ અને પત્ની બંનેએ રાખવુ જોઈએ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow