પતિ-પત્ની દરરોજ કરે આ કામ તો સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ

પતિ-પત્ની દરરોજ કરે આ કામ તો સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ

આ કામ કરવાથી લગ્ન જીવન મધુર રહેશે

મહાન અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્યએ લગ્ન જીવનને ખુશહાલ બનાવવા માટે ઘણા ઉપાય જણાવ્યાં છે. આ સાથે તેમણે પોતાની નીતિઓમાં સ્ત્રી-પુરૂષને લઇને અમુક એવા કામ જણાવ્યાં છે,  

જેને દરરોજ કરવાથી પતિ-પત્નીની વચ્ચે ક્યારેય તણાવ આવતો નથી. ચાણક્ય નીતિઓમાં એવા કામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કરવાથી લગ્ન જીવન ખુશહાલ રહે છે. આવો તમને જણાવીએ કે આચાર્ય ચાણક્યએ કયા કામોને દરરોજ કરવાની સલાહ આપી છે, જેનાથી પતિ-પત્નીનો સંબંધ મજબૂત થાય છે.

પતિ-પત્નીએ એકબીજાનુ માન જાળવવુ જોઈએ

લગ્ન જીવનને વધુ સારું બનાવવા માટે સૌથી જરૂરી છે કે બંનેની વચ્ચે પ્રેમ હોય અને બંને એકબીજાની ઈજ્જત કરતા હોય. ચાણક્ય નીતિમાં આ વાતને જણાવવામાં આવી છે કે પ્રેમની સાથે ઈજ્જત હોવાથી સંબંધ સુંદર થાય છે. તેથી હંમેશા પતિ-પત્નીએ એકબીજાનુ માન જાળવવુ જોઈએ અને માન-સન્માન આપવુ જોઈએ.

ક્યારેય અભિમાન ના કરશો

આચાર્ય ચાણક્ય મુજબ, પતિ-પત્ની ગાડીના બે પૈડા જેવા હોય છે અને ગાડી મુજબ સંબંધ ત્યારે જ સારો ચાલે છે જ્યારે તેના બે પૈડા મળીને આગળ વધે. ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે પતિ-પત્નીએ ક્યારેય પણ કોઈ વાતનો ઘમંડ ના કરવો જોઈએ. એકબીજાએ ઘમંડ કરવાથી સંબંધ ખરાબ થાય છે.

ખાનગી વાતો કોઈને ના કરો શેર

આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે પતિ-પત્નીએ પોતાની ખાનગી વાતોને કોઈને પણ કહેવી ના જોઈએ. આમ કરવાથી સંબંધ ખરાબ થાય છે, કારણકે પતિ-પત્ની વચ્ચે થતી વાતોને શેર કરવાથી એકબીજાનો ભરોસો તુટે છે. આ વાતનુ ધ્યાન પતિ અને પત્ની બંનેએ રાખવુ જોઈએ.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow