Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🛍 Lifestyle

હાથ કે પગમાં કાળો દોરો બાંધ્યો હોય તો ખાસ ચેક કરી લેજો તમારી રાશિ, નહીંતર ફાયદો નહીં નુકસાન કરાવશે

Gujaratnow2 min read
હાથ કે પગમાં કાળો દોરો બાંધ્યો હોય તો ખાસ ચેક કરી લેજો તમારી રાશિ, નહીંતર ફાયદો નહીં નુકસાન કરાવશે

તમે અવાર-નવાર ઘણા લોકોના ગળા, હાથ અને પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. આ કાળો દોરો માન્યતા મુજબ લોકો ખરાબ નજર અને શનિ દોષમાંથી બચવા માટે બાંધે છે. જ્યોતિષ શાસ્ત્ર પણ કાળો દોરો પહેરવાને લઇને ઘણા ફાયદા જણાવે છે. લાલ બુક અને જ્યોતિષમાં પણ કાળા દોરાના ઉપાય અને મહત્વ જણાવવામાં આવ્યું છે, પરંતુ એવુ નથી કે તેને પહેરવાથી માત્ર ફાયદો જ થાય. ક્યારેક કાળો દોરો નુકસાન પણ પહોંચાડે છે.

 કાળો દોરો પહેરવાના ફાયદા

શનિ ગ્રહનો રંગ કાળો હોય છે. કાળો દોરો પહેરવાથી તમારી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત થશે. આ ઉપરાંત આ તમને નકારાત્મક નજરથી પણ બચાવે છે. કાળો દોરો પહેરવાથી તમે ખરાબ નજરથી બચી જાઓ છો. એટલું જ નહીં, આ શનિ દોષમાંથી પણ મુક્તિ અપાવે છે.

કાળો દોરો પહેરવાના નુકસાન

એકબાજુ કાળો દોરો પહેરવાથી ફાયદો થાય છે, તો અમુક લોકોને આ પહેરવાથી નુકસાન પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્વિક અને મેષ રાશિના જાતકોએ કાળો દોરો ના બાંધવો જોઈએ. વૃશ્વિક રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો રંગ લાલ છે. માનવામાં આવે છે કે મંગળને કાળા રંગથી નફરત છે. તેથી વૃશ્વિક રાશિના જાતકોએ કાળો દોરો બિલ્કુલ પણ ના પહેરવો જોઈએ. આ જ સ્થિતિ મેષ રાશિની છે. જેનો પણ સ્વામી મંગળ છે. જેના કારણે આ રાશિના જાતકોએ પણ કાળો દોરો બાંધવો ના જોઈએ. જ્યોતિષ મુજબ આ રાશિના જાતકોને ધન, માન-સન્માન અને સ્વાસ્થ્યનુ નુકસાન થઇ શકે છે.

Gujaratnow2 min read

Related News