જીવ કેવી રીતે ચાલ્યો હશે..! 3 મહિનાની બાળકીને 51 વખત ગરમ સળિયાથી આપ્યા ધગધગતા ડામ

જીવ કેવી રીતે ચાલ્યો હશે..! 3 મહિનાની બાળકીને 51 વખત ગરમ સળિયાથી આપ્યા ધગધગતા ડામ

અંધશ્રદ્ધાના કારણે કેટલાક કિસ્સા સામે આવતા હોય છે જેમાં પરિવારજનોના કારણે પોતાના પ્રિયજનોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેવો એજ એક કિસ્સો મધ્યપ્રદેશના શહડોલમાં સામે આવી છે. જ્યાં ત્રણ મહિનાની બાળકીને ન્યુમોનિયાની સારવારના નામે એક -બે નહી પરંતુ ૫૧ વખત ગરમ સળિયાના ધગધગતા ડામ આપવામાં આવ્યા હતા. અંધશ્રદ્ધાના કારણે આજે ત્રણ મહિનાની બાળકીનું મોત થયું છે.

બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં

જેમાં એક ત્રણ મહિનાની નવજાત બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. ડામ આપવા પાછળના કારણની વાત કરીએ તો બાળકીને ન્યુમોનિયાથી તકલીફ હતી. જેની સારવાર કરવાને બદલે ન્યુમોનિયાની સારવારના નામે ગરમ સળિયાના ડામ આપ્યા હતા. જેના કારણે બાળકીની સ્થિતિ વધુ નાજૂક થતાં સગા સબંધિઓએ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાના બાળકીનું મૃત્યુ થયુ છે. હાલ તો પોલીસના કહેવા પ્રમાણે મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને જે કોઈ ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતુ.

ડોક્ટરે શુ કહ્યું ?

બાળકીને ન્યુમોનિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ સમયે તેમના પરીવાર જનો અંધશ્રદ્ધાના કારણે હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ કોઈ ઢોંગી પાસે લઈ ગયા હતા. જ્યાં બાળકીને એક-બે-ત્રણ નહીં પરંતુ ટોટલ ૫૧ વાર ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. જેના કારણે બાળકીની તબિયાત વધુ નાજૂક બની ગઈ હતી.વધુ સારવાર માટે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરના કહેવા પ્રમાણે બાળકીને ગરમ સળિયાના ડામ આપવાના કારણે તેમની તબિયત વધુ નાજુક થઈ હતી. બાળકીના મગજ સુધી આ ઈન્ફેકશન ફેલાયું હતુ. અને ત્યાર બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ દરમિયાન વધુ તબિયત બગડતા તેમનું મૃત્યુ થયું હતુ.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow