જીવ કેવી રીતે ચાલ્યો હશે..! 3 મહિનાની બાળકીને 51 વખત ગરમ સળિયાથી આપ્યા ધગધગતા ડામ

જીવ કેવી રીતે ચાલ્યો હશે..! 3 મહિનાની બાળકીને 51 વખત ગરમ સળિયાથી આપ્યા ધગધગતા ડામ

અંધશ્રદ્ધાના કારણે કેટલાક કિસ્સા સામે આવતા હોય છે જેમાં પરિવારજનોના કારણે પોતાના પ્રિયજનોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેવો એજ એક કિસ્સો મધ્યપ્રદેશના શહડોલમાં સામે આવી છે. જ્યાં ત્રણ મહિનાની બાળકીને ન્યુમોનિયાની સારવારના નામે એક -બે નહી પરંતુ ૫૧ વખત ગરમ સળિયાના ધગધગતા ડામ આપવામાં આવ્યા હતા. અંધશ્રદ્ધાના કારણે આજે ત્રણ મહિનાની બાળકીનું મોત થયું છે.

બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં

જેમાં એક ત્રણ મહિનાની નવજાત બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. ડામ આપવા પાછળના કારણની વાત કરીએ તો બાળકીને ન્યુમોનિયાથી તકલીફ હતી. જેની સારવાર કરવાને બદલે ન્યુમોનિયાની સારવારના નામે ગરમ સળિયાના ડામ આપ્યા હતા. જેના કારણે બાળકીની સ્થિતિ વધુ નાજૂક થતાં સગા સબંધિઓએ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાના બાળકીનું મૃત્યુ થયુ છે. હાલ તો પોલીસના કહેવા પ્રમાણે મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને જે કોઈ ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતુ.

ડોક્ટરે શુ કહ્યું ?

બાળકીને ન્યુમોનિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ સમયે તેમના પરીવાર જનો અંધશ્રદ્ધાના કારણે હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ કોઈ ઢોંગી પાસે લઈ ગયા હતા. જ્યાં બાળકીને એક-બે-ત્રણ નહીં પરંતુ ટોટલ ૫૧ વાર ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. જેના કારણે બાળકીની તબિયાત વધુ નાજૂક બની ગઈ હતી.વધુ સારવાર માટે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરના કહેવા પ્રમાણે બાળકીને ગરમ સળિયાના ડામ આપવાના કારણે તેમની તબિયત વધુ નાજુક થઈ હતી. બાળકીના મગજ સુધી આ ઈન્ફેકશન ફેલાયું હતુ. અને ત્યાર બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ દરમિયાન વધુ તબિયત બગડતા તેમનું મૃત્યુ થયું હતુ.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow