દેવપ્રબોધિની એકાદશી પર કેવી રીતે થશે લક્ષ્મીજીની કૃપા, કરો આ ઉપાય

દેવપ્રબોધિની એકાદશી પર કેવી રીતે થશે લક્ષ્મીજીની કૃપા, કરો આ ઉપાય

દેવ પ્રબોધની એકાદશી પર તુલસી વિવાહનું મહત્વ શાસ્ત્રોમાં જણાવ્યું છે અને આ વખતે એકાદશી 4 નવેમ્બરનાં રોજ છે અને તુલસી અને શાલિગ્રામજીનાં આ દિવસે સાંજે લગ્ન કરાવવામાં આવે છે. એકાદશીની તિથી 3 નવેમ્બરથી શરુ થઈને 4 નવેમ્બર સુધી રહેશે. આ માટે તુલસી વિવાહ 3 નવેમ્બરનાં રોજ કરાવવામાં આવશે. માન્યતા છે કે જો લોકો તુલસી વિવાહની ધાર્મિક પૂજા વિધિ કરાવે છે એને કન્યાદાન બરાબર પુણ્ય મળે છે ત્યારે પરણીત લોકો પણ તુલસી વિવાહ કરાવે તો એમનાં દાંપત્ય જીવનમાં દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે.

તુલસી માતાને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે

શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. દંતકથા અનુસાર, એકવાર તુલસી માતાએ ગુસ્સામાં ભગવાન વિષ્ણુને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા, તુલસી દેવીના આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે, ભગવાન વિષ્ણુએ શાલિગ્રામનો અવતાર લીધો અને તુલસીજી સાથે લગ્ન કર્યા. તુલસી માતાને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી સાથે લગ્ન કરીને મધની સામગ્રી ચઢાવવાથી મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં વરસાદ આવે છે. કેટલીક જગ્યાએ દ્વાદશીના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે.

તુલસી વિવાહ માટે શુભ સમય

પંચાંગ અનુસાર, એકાદશી તિથિ 3જી નવેમ્બરે સાંજે 7:35 વાગ્યાથી શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 4 નવેમ્બરે સાંજે 6:15 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ 5 નવેમ્બરે દ્વાદશી તિથિ શરૂ થશે અને આ દિવસે એકાદશી વ્રતનાં પારણા કરવામાં આવશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow