ભારત-ફ્રાન્સના વેપાર સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન માટે સન્માનિત

ભારત-ફ્રાન્સના વેપાર સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન માટે સન્માનિત

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડી લા લેજીઓન ડી'હોન્યુરથી નવાજવામાં આવ્યા છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ ફ્રાન્સે એન ચંદ્રશેખરને આ સન્માન આપ્યું છે.

ટાટા ગ્રુપે સત્તાવાર ટ્વિટર દ્વારા આ અંગેની માહિતી આપી છે. ગ્રુપે ટ્વીટ કર્યું કે અમારા અધ્યક્ષ એન ચંદ્રશેખરનને યુરોપ અને વિદેશી બાબતોના ફ્રેન્ચ પ્રધાન તરફથી શેવેલિયર ડે લા લેજીઓન ડી'હોન્યુર મળ્યું. ભારત અને ફ્રાન્સ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ તેમને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

એન ચંદ્રશેખરનનું સન્માન કર્યા બાદ મંત્રી કેથરિન કોલોનાએ તેમને ફ્રાન્સના મિત્ર ગણાવ્યા. તેમણે ટ્વીટ કર્યું કે ટાટા કંપની ફ્રાન્કો-ઇન્ડિયન પાર્ટનરશિપની મુખ્ય ખેલાડી છે. મને પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ વતી, CEOને શેવેલિયર ડે લા લેજીઓન ડી'ઓન્યુરનું ચિહ્ન રજૂ કરવામાં આનંદ થાય છે. પ્રિય નટરાજન ચંદ્રશેખરન, તમે ફ્રાન્સના મિત્ર છો.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow