ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જસદણ ખાતે સભા ગજાવશે

ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જસદણ ખાતે સભા ગજાવશે

મિશન 150 પ્‍લસના ટાર્ગેટ સાથે પ્રથમ તબક્કાની તમામ બેઠકો ભાજપના સ્‍ટાર પ્રચારકો ખુંદી વળ્‍યા છે. રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા, યોગી આદિત્‍યનાથ, અનુરાગ ઠાકુર, સ્‍મૃતિ ઈરાની સહિત અને કેન્‍દ્રના નેતાઓ તેમજ ભાજપના રાજયના ધારાસભ્‍યો પણ અલગ અલગ વિધાનસભા વિસ્‍તારમાં સભાઓ ગજવી રહ્યાં છે. તેમાં જ ભાજપના દિગ્‍ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે જસદણ ખાતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાના પ્રચાર-પ્રસાર અર્થે સભા ગજાવશે. અને ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કરશે. હાલ ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રાજકોટ આજે ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીની કમલમની મુલાકાત લીધી અને પત્રકાર પરિષદને સંબોધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે,જનસંઘની સ્થાપના રાજકોટથી થઈ હતી. વડાપ્રધાન પોતાની રાજકીય કાળની પ્રથમ ચૂંટણી અહીંથી લડ્યા હતા. અને ભાજપે રાજકોટને ઘણું આપ્યું છે. એઇમ્સ અને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેનું ઉદાહરણ છે. પાણીની સમસ્યાઓમાંથી અહીં લોકોને કાયમી માટે મુક્તિ મળી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ અહીં સભા કરી હતી, તેઓ એવા વ્યક્તિના ખભે હાથ રાખી ચાલી રહ્યા છે કે જેઓએ ગુજરાતનો 20 વર્ષ સુધી વિકાસ રુંધ્યો છે. જયારે સાવરકર અંગે આપેલ તુષાર ગાંધીના નિવેદનને તેમના અંગત વિચારો ગણાવ્યા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow