હજીરા ખાતે રો-પેક્સ ફેરી ટર્મિનલ કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સુરતના વેપારીઓથી જોડશે

હજીરા ખાતે રો-પેક્સ ફેરી ટર્મિનલ કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સુરતના વેપારીઓથી જોડશે

દીન દયાળ પોર્ટ ઓથોરીટી કંડલા દ્વારા નિર્મિત રો-પેક્સ ફેરી ટર્મિનલનું હજીરા ખાતે આજે વડાપ્રધાન દ્વારા ઉદ્દઘાટન કરાયું હતું. આ ફેરી સર્વિસ સૌરાષ્ટ્રના ખેડૂતોને સુરતના વેપારી મંડળ સાથે જોડશે તેમ જણાવી આવી મલ્ટી મોડલ કનેક્ટીવીટી અને લોજીસ્ટ્રીકની જરૂરીયાત અને મહત્વ ઉપર તેમણે આ પ્રસંગે ભાર મુક્યો હતો.

દીન દયાળ પોર્ટ ઓથોરીટી કંડલા દ્વારા જૂન 2021 માં શરૂ કરાયેલા આ ટર્મિનલના નિર્માણને રૂ. 70 કરોડના ખર્ચે રેકર્ડ સમયમાં પૂર્ણ કરાયું હતું. આ ટર્મિનલના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રો-પેક્સ ફેરી ટર્મિનલ આગામી સમયમાં ખુબ ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું હતું. આ રો પેક્સ ફેરીએ અત્યાર સુધી 2,70,614 ઉતારૂઓ, 42,319 કાર, 15,492 ટુ-વ્હીલર, અને 24,605 ભારે ટ્રકોનું વહન કર્યું છે.

આ ફેરી સેવાએ સમયની સાથોસાથ કિંમતી ઇંઘણની પણ બચતમાં ચાવીરૂપ ભુમિકા ભજવી છે. દીનદાયળ પોર્ટ ઓથોરીટી, કંડલા નજીકના ભવિષ્યમાં ગુજરાતના અન્ય સ્થળોએ જળમાર્ગ દ્વારા રો-પેકસ ફેરી સેવા પુરી પાડવાની યોજના ધરાતુ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ સમારોહમાં પોર્ટના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow