ચીન-પાક.ને ફટકો!

ચીન-પાક.ને ફટકો!

સંયુક્ત રાષ્ટ્રે આખરે પાકિસ્તાની ત્રાસવાદી સંગઠન લશ્કર-એ- તોઈબાના ઉપપ્રમુખ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. આ નિર્ણય ભારતની મોટી રાજદ્ધારી જીત અને ચીન માટે મોટા ફટકા સમાન છે. મક્કીને વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં મૂકવાના ભારત-અમેરિકાના પ્રયાસો આડે ચીને સતત અડચણો ઊભી કરી હતી.

ચીનની પીછેહટ થતાંની સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે મક્કીને ત્રાસવાદી યાદીમાં મૂકી દીધો છે. આ નિર્ણય બાદ તેની સંપત્તિ જપ્ત કરવા અને યાત્રા-પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં પગલાં લેવાશે. હથિયાર સંબંધિત પ્રતિબંધ પણ અમલી બનશે. ચીન અને પાકિસ્તાન દ્વારા વૈશ્વિક મંચ પર તેનો સતત બચાવ કરવામાં આવી રહ્યો હતો. ગયા વર્ષે 16મી જૂને ચીને મક્કીને વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર બ્રેક મારવામાં સફળતા મેળવી હતી. કોઇ પણ વ્યક્તિ અથવા તો સંગઠનને પ્રતિબંધિત સમિતિ હેઠ‌ળ યાદીમાં સામેલ કરવાનો નિર્ણય સર્વસંમતિ સાથે લેવામાં આવે છે.

15 સભ્યોની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે વિટોના અધિકાર ધરાવનાર ચીન પ્રથમ દેશ રહ્યા બાદ કેટલીક વખત અડચણો ઊભી કરી હતી. ચીને આ પહેલાં લશ્કરના પ્રમુખ હાફિઝ સઇદના સંબંધી મક્કીનું સમર્થન કર્યુ હતું. બીજી બાજુ ભારત મક્કીની સામે પ્રતિબંધને લઇને સતત દબાણ લાવી રહ્યું હતું. હવે સાત મહિના બાદ ચીનને પોતાના જિદ્દી વલણથી પીછેહટ કરવાની ફરજ પડી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow