ભારતમાં ભરતીઓ વધી, USમાં ભારતીયો નોકરી ગુમાવે છે

ભારતમાં ભરતીઓ વધી, USમાં ભારતીયો નોકરી ગુમાવે છે

દુનિયાભરમાં છટણીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ દેશમાં ભરતીની સિઝન છે. સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસીએ સપ્ટેમ્બરથી િડસેમ્બર 2022 વચ્ચે 5,863 અને બંધન બેન્કે 2,036 ભરતી કરી છે, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કે માર્ચથી ડિસેમ્બર 22 વચ્ચે 11,200 લોકોને નોકરી આપી છે. જોકે, અમેરિકામાં મોર્ગન સ્ટેન્લી બેન્કે ડિસેમ્બર 22માં 1,600 લોકોની છટણી કરી છે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ દિગ્ગજ કંપની ગોલ્ડમેન સાશે જાન્યુઆરી 23માં 3,200 કર્મચારીની હકાલપટ્ટી કરી છે, જે 2008ની મંદી પછી સૌથી મોટો આંકડો છે. આરબીઆઇના તાજા અહેવાલ અને એસબીઆઇ સાથે સંકળાયેલા બેન્કિંગ એક્સપર્ટ નરેશ મલહોત્રાના મતે, છેલ્લા બે વર્ષ ભારતીય બેન્કો માટે ભલે મુશ્કેલ રહ્યા, પરંતુ હવે રેકોર્ડ ગ્રોથ દેખાશે.

બીજી તરફ, અમેરિકામાં નવેમ્બર 2022થી અત્યાર સુધી આશરે બે લાખ આઇટી કર્મી નોકરી ગુમાવી ચૂક્યા છે. તેમાં 30-40% સુધી ભારતીય છે. તેમાં પણ મોટા ભાગના લોકો એચ-1બી અને એલ-1 વિઝા ધરાવનારા છે. હકીકતમાં એચ-1બી વિઝા ધરાવતા લોકો માટે સ્થિતિ મુશ્કેલ હોવાનું કારણ એ પણ છે કે, જો તેમને 60 દિવસમાં બીજી નોકરી ના મળે, તો ભારત પાછા આવવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ નથી બચતો.

શુભ સંકેત, આ વર્ષે 21 દિવસમાં જ 1.16% સુધી ઘટી ચૂક્યો છે દેશમાં બેરોજગારી દર
બેરોજગારો માટે નવું વર્ષ મોટી રાહત લઇને આવ્યું છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના મતે, પહેલી જાન્યુઆરીએ દેશમાં બેરોજગારી દર 8.30%હતો, જે 22 જાન્યુઆરીએ 7.14% સુધી આવ્યો. શહેરોમાં આ દર 8.8% છે, જ્યારે ગામડાંમાં 6.4% પર આવી ગયો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow