એક દિવસમાં કોરોનાના વર્ષના સૌથી વધુ 1134 કેસ

એક દિવસમાં કોરોનાના વર્ષના સૌથી વધુ 1134 કેસ

દેશમાં બુધવારે કોરોનાના નવા 1,134 નવા કેસ આવ્યા છે. આ વર્ષે એક દિવસમાં નોંધાયેલો કોરોનાના કેસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 19 માર્ચે 1,071 કેસ નોંધાયા હતા. બુધવારે સૌથી વધુ 280 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોના નવા વેરિયન્ટ એક્સબીબી 1.16ના કારણે કેસ વધી રહ્યા છે. પણ હજુ સુધી કોઈ નવો વેરિયન્ટ સામે આવ્યો નથી. તેથી ચિંતાની વાત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના તથા ફ્લુના કેસમાં થઈ રહેલા વધારાને લઈને આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

દેશમાં દૈનિક સંક્રમણનો દર હજુ 1.09 ટકા છે. જ્યારે સાપ્તાહિક સંક્રમણનો દર 0.98 ટકા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હાલ 7,026 છે. કેરળમાં સૌથી વધુ 1921 એક્ટિવ કેસ છે. હાલ એક્ટિવ કેસનું પ્રમાણ 0.01 ટકા છે. આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક માટે એડવાઇઝરી જારી કરી હતી.

નવો XBB 1.16 ઓમિક્રોનનો સબ વેરિયન્ટ

  • ઓમિક્રોનનો સબ વેરિયન્ટ XBB 1.16 ભારત, બ્રુનેઈ, અમેરિકા, સિંગાપોર, બ્રિટન સહિત 12 દેશમાં સામે આવી ચૂક્યો છે.
  • XBB 1.15 કરતા 140 ટકા ઝડપથી ફેલાઈ ચૂકે છે.
  • XBB 1.16 ભારતમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં ડિટેક્ટ થયો હતો.
  • જીનોમ સિકવન્સિંગમાં વધારો કરવા PMનું સૂચન
    બુધવારે રાજધાનીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોરોના મહામારીના અંતને હજુ વાર છે. તેમણે જિનોમ સિકવન્સિંગ તથા કોરોનાને અનુરૂપ વર્તન પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે બુધવારે ‘જનતા કર્ફ્યૂ’ની ત્રીજી વર્ષગાંઠ પર જ દેશમાં કોરોનાના વર્ષના સૌથી વધુ કેસ નોંધાયા હતા.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow