કોરોના પર PMOની હાઈ લેવલ મીટિંગ, બે પોઈન્ટથી વાયરસ સામે લડાશે, અધિકારીઓને અપાયા નિર્દેશ

કોરોના પર PMOની હાઈ લેવલ મીટિંગ, બે પોઈન્ટથી વાયરસ સામે લડાશે, અધિકારીઓને અપાયા નિર્દેશ

ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે શનિવારે એક ઉચ્ચ અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  

આ દરમિયાન વડાપ્રધાન મોદીના અગ્રસચિવ પીકે મિશ્રાએ દેશમાં કોરોનાની સમીક્ષા કરવા માટે બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં અધિકારીઓ અને આરોગ્ય નિષ્ણાતોએ જોડાયા હતા. આ દરમિયાન મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે ડિસેમ્બરમાં લગભગ 500 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા,  

જેની દેશભરની INSACOG લેબમાં તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મિશ્રાએ 22 ડિસેમ્બરે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ પીએમ દ્વારા જારી કરાયેલા નિર્દેશોને અનુસરવા માહિતી આપી હતી.


વધુને વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવા સૂચના

જાણવા મળતી વિગત અનુસાર આ બેઠકમાં અધિકારીઓને કોરોનાના નવા વેરિયન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના અપાઈ હતી. ઉપરાંત, દેશમાં ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગને મજબૂત કરવા પર ભાર મુકાયો હતો. તેમજ વધુને વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવા સૂચના અપાઈ છે અને  આ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂર હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો કોરોના સામે કેન્દ્ર અને રાજ્ય સરકારે સહયારા પ્રયાસ કરવા પણ જણાવાયું હતી.

ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, સ્ટાફ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા સુચન

બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ માહિતી આપી હતી કે વાણિજ્ય મંત્રાલયને ચીનમાં તબીબી ઉત્પાદનો અને ઉપકરણોની નિકાસ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.  

મહત્વનું છે કે 27મી ડિસેમ્બરના રોજ તમામ આરોગ્ય કેન્દ્રો પર મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. કોરોનાને લાગતી વ્યવસ્થા કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જેમાં ભાગ લીધો હતો. ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, લોજિસ્ટિક્સ અને સ્ટાફ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે 21,097માં મોકડ્રીલ યોજાઈ હતી.  

જેમાંથી 16,108 સરકાર દ્વારા સંચાલિત હતી. બીજી બાજુ કોવિડ રસીકરણ અંગે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કોવિડ રસીના 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 102.56 કરોડ પ્રથમ ડોઝ અને 95.13 કરોડ બીજા ડોઝના લાભાર્થીઓને આપી દેવાયા છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow