દિલ્હી રમખાણોમાં પ્રવેશ વર્મા-અનુરાગ ઠાકુર પર નફરત ફેલાવવાનો આરોપ

દિલ્હી રમખાણોમાં પ્રવેશ વર્મા-અનુરાગ ઠાકુર પર નફરત ફેલાવવાનો આરોપ

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા સીપીઆઈ(એમ)ના નેતાઓ બ્રિન્દા કરાત અને કેએમ તિવારીની અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. જેમાં 2020માં દિલ્હી રમખાણો દરમિયાન કથિત નફરતભર્યા ભાષણ બદલ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને બીજેપી નેતા પ્રવેશ વર્મા વિરુદ્ધ FIR નોંધવાની માગ કરવામાં આવી હતી.

જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેંચે દિલ્હી પોલીસ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માગ્યો છે. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ, મેજિસ્ટ્રેટનું કહેવું ખોટું છે કે કેસમાં એફઆઈઆર નોંધવા માટે કોઈની મંજૂરીની જરૂર છે.

દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો
CPI(M) નેતાઓની આ અરજી પર 13 જૂન, 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કાયદા હેઠળના હાલના તથ્યોમાં, એફઆઈઆરની નોંધણી માટે ઉચ્ચ અધિકારીની મંજૂરી જરૂરી છે.

હાઈકોર્ટે કહ્યું હતું કે દિલ્હી પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને ટ્રાયલ કોર્ટને જાણ કરી હતી કે પ્રાથમિક દૃષ્ટિએ કોઈ ગુનો થયો નથી. આદેશ પસાર કરવા માટે, ટ્રાયલ કોર્ટે તથ્યો અને પુરાવાઓનું સંજ્ઞાન લેવું જરૂરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow