ઉચ્ચ વ્યાજદરોથી SME લોનધારકો માટે રિફાઇનાન્સનો વિકલ્પ મર્યાદિત

ઉચ્ચ વ્યાજદરોથી SME લોનધારકો માટે રિફાઇનાન્સનો વિકલ્પ મર્યાદિત

RBI દ્વારા રેપોરેટમાં ગત મે મહિનાથી 250 બેસિસ પોઇન્ટના વધારાને કારણે જોવા મળી રહેલા ઉચ્ચ વ્યાજદરોને કારણે લોનની પુન:ચૂકવણીની રકમમાં વધારો થયો છે અને પ્રોપર્ટી સામે લોન લેનારા SME લોનધારકો માટે રિફાઇનાન્સિંગનો વિકલ્પ પણ મર્યાદિત બનતા આ પ્રકારની લોન ડિફોલ્ટ થવાની આશંકા વધી છે તેવું મૂડીઝે જણાવ્યું હતું. જો RBI દરોને યથાવત્ રાખે તો પણ SME લોનધારકો પર દેવાની પુન:ચૂકવણી કરવાનું ભારણ વધશે.

તદુપરાંત, ગત વર્ષથી દરોમાં વધારાને કારણે પ્રોપર્ટી સામે લોન લેનારા લોનધારકો રકમની પૂન:ચૂકવણી કરી શકે તેવી શક્યતા ઓછી છે. LAP એટલે લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી.ગત વર્ષથી વ્યાજદરોમાં વધારાની અસર નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પર પડતા તેઓ માટે ફંડિગ ખર્ચ પણ વધ્યો છે. આ સાથે NBFCsએ નાના-મધ્યમ કદના ઉદ્યોગોના લોનધારકો માટે પ્રોપર્ટી સામે લોન પરના વ્યાજદરોમાં વધારો કર્યો છે. જેને કારણે પુનચૂકવણીની રકમ વધી છે અને આ પ્રકારની લોન માટે રીફાઇનાન્સિંગનું જોખમ પણ વધ્યું છે. ગત વર્ષે મે મહિનાથી રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ રેપોરેટમાં સતત 6 વારમાં 250 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે જેને કારણે રેપોરેટ 6.5%એ પહોંચ્યો છે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં RBIએ રેપોરેટમાં વધારાને મુલતવી રાખ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow