ઠંડી ન પડતા શાકભાજીના ભાવમાં ગરમી

ઠંડી ન પડતા શાકભાજીના ભાવમાં ગરમી

નવેમ્બર શરૂ થઈ ગયો છતાં ઠંડી શરૂ થઇ નથી. આમ, વાતાવરણની પ્રતિકૂળ અસર પડતા શાકભાજીના ભાવમાં વધારો આવ્યો છે. ડુંગળીનો ભાવ સતત ઊંચો જળવાયેલો રહ્યો છે. એક મણ ડુંગળીનો ભાવ રૂ. 800 થયો છે. જો ઠંડીની શરૂઆત થશે તો શાકભાજીના ભાવમાં ઘટાડો આવે તેવી સંભાવના છે. ભીંડો, ગુવાર, કોથમરી, કોબિજ, કાકડી સહિત તમામ શાકભાજીનો ભાવ રૂ. 30થી 40 સુધી અને છૂટક બજારમાં તેનો ભાવ રૂ. 50થી 60 સુધી બોલાઈ રહ્યો છે. હાલ શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

આ અંગે શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટર કાનાભાઈ ચાવડાના જણાવ્યાનુસાર સ્થાનિક આવકમાં ઘટાડો થયો છે. ડુંગળીનો ભાવ વધ્યો એનું કારણ વરસાદ અને તાપ બન્ને ગણાવી શકાય. પહેલી વખત જ્યારે પાકનું વાવેતર કર્યું ત્યારે વરસાદ આવ્યો ત્યારબાદ આકરો તાપ પડ્યો અને ફરી વાવેતર કર્યું ત્યારે પણ વરસાદ અને આકરો તાપ જોવા મળ્યા. જેને કારણે પાકમાં ઉતારો ઓછો આવ્યો છે. રાજકોટ ઉપરાંત નાસિકની ડુંગળીનો ભાવ પણ ઊંચો છે. અને ત્યાંથી જે કોઈ માલ મગાવે છે તેને ટ્રાન્સપોર્ટેશન ભાડા પણ ઉંચા ચૂકવવા પડે છે. આથી ત્યાંથી માલ જરૂર પૂરતો જ મગાવવામાં આવે છે. ભાવ ઉંચા જતા ડુંગળીની ડિમાન્ડમાં પણ ઘટાડો આવ્યો છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow