શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ચા પીવા ઊભેલા યુવકનું હાર્ટફેઇલ

શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ચા પીવા ઊભેલા યુવકનું હાર્ટફેઇલ

યુવાનો અને તેમાં પણ રમતવીરોમાં હૃદયરોગના હુમલાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ભાણેજના લગ્નમાં આવેલો ડીસાનો યુવક સાંજે રિસેપ્શનમાં જોડાઇ તે પહેલા સવારે ક્રિકેટ રમવા ગયો હતો.ક્રિકેટ રમી ચા પીવા ઊભો હતો ત્યારે અચાનક જ તે બેભાન થઇને ઢળી પડ્યો હતો અને બેભાન હાલતમાં જ તેનું મૃત્યુ થયું હતું.

બનાસકાંઠાના ડીસામાં રહેતો ભરત રવજીભાઇ બારિયા (ઉ.વ.40) રાજકોટના રેલનગરમાં રહેતા તેના ભાણેજ પ્રિતેશના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાજકોટ આવ્યો હતો, બુધવારે સાંજે ભાણેજનું રિસેપ્શન હતું, સવારે રેલનગરના અન્ય મિત્રો સાથે ભરત બારિયા શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો, ક્રિકેટ મેચ રમ્યા બાદ ભરત અને તેના મિત્રો મેદાનની બહાર નીકળ્યા હતા અને ચા પીવા ઊભા હતા ત્યારે અચાનક જ ભરત ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો,

તેને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રણ બહેનનો એકનો એક ભાઇ ભરત મિલમાં નોકરી કરતો હતો, ભરતના મૃત્યુની જાણ થતાં લગ્નસ્થળે લગ્નની ખુશીની જગ્યાએ શોકનું મોજું ફરી વળ્યુ હતું.

દશ દિવસ પૂર્વે એક યુવક રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો, રમતી વખતે તેને ટેનિસનો બોલ લાગ્યા બાદ પણ તેણે બેટિંગ કરી હતી અને આઉટ થયા બાદ કારમાં બેઠો હતો ત્યારે તે બેભાન થઇ ગયો હતો અને બેભાન હાલતમાં તેનું મૃત્યુ થયું હતું જ્યારે એજ દિવસે મારવાડી કોલેજનો વિદ્યાર્થીનું ફૂટબોલ રમતાં રમતાં મોત થયું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow