રાજકોટમાં સન્ની પાજી દા ઢાબામાં ફરી આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટમાં સન્ની પાજી દા ઢાબામાં ફરી આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટમાં સ્વાદના શોખીન લોકોની કમી નથી. એટલે જ જીભને ચટાકો મળે તેવો ખોરાક આરોગવામાં રાજકોટીયન્સ અગ્રીમ હરોળમાં આવે છે. જેને પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રેસ્ટોરાંમાં દરોડા પાડવામાં આવે છે જેથી સ્વાદના નામે ભેળસેળિયા ખોરાકનું વેચાણ અટકે ત્યારે શહેરમાં ફાસ્ટફૂડ અને ખાસ તો પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત 'સન્ની પાજી દા ઢાબા'માં ફેફસા માટે હાનીકાર સીન્‍થેટીક ફૂડ કલર મળી આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ સીન્‍થેટીક ફૂડ કલર એટલો જોખમી છે કે તેનું સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. જેને પગલે મનપા દ્વારા રૂ.6 લાખનો દંડ સન્ની પાજી'ના સંચાલકોને ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે 7 મહિના પૂર્વે પણ સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કિચનમાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી. ફ્રીઝ અને સ્ટોરેજમાં જીવાત, સડેલા બટેટા અને બિન આરોગ્યપ્રદ શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. શાકમાં પ્રતિબંધિત આજીનો મોટોના ઉપયોગ અને ગ્રેવી શાકમાં કેમિકલ કલર મળી આવ્યો હતો. ફ્રીઝમા વાસી લોટ, શાકભાજી, મંચ્યુરીયન ગ્રેવી સહિત 12 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેક્સમાં રસોડુ અને સ્ટોરેજ બનાવવામાં આવ્યાનું ખુલ્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow