સાધુનો સ્વાંગ રચી ચમત્કારથી 10 કરોડ અપાવવા કહી 23 લાખ ખંખેર્યા

સાધુનો સ્વાંગ રચી ચમત્કારથી 10 કરોડ અપાવવા કહી 23 લાખ ખંખેર્યા

વ્યકિત પાસે લોભ હોય ત્યાં ધુતારા કદી ભુખ્યા ન મરે એ કહેવતને દામનગરના કાચરડી ગામના એક ખેડૂતે સાચી કરી બતાવી છે. આ ખેડૂતને રસ્તામા મળી ગયેલા ચાર સાધુઓએ ચમત્કારથી રૂપિયા 10 કરોડની રકમ અપાવવાની લાલચ આપી રૂપિયા 23 લાખની છેતરપીંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

એક કારમાં ત્રણ ભગવાધારી શખ્સો આવ્યા
દામનગર નજીક કાચરડી ગામના ધીરૂભાઇ ડાયાભાઇ કુકડીયા નામના ખેડૂત સાથે આ ઘટના બની છે જે અંગે તેણે ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે ગત તા. 20/10/22ના રોજ તેઓ ભાગવી રાખેલ વાડી નજીક રોડે બેઠા હતા ત્યારે એક કારમાં ત્રણ ભગવાધારી શખ્સો આવ્યા હતા અને જય ગીરનારી કહી જ્ઞાન અને ચમત્કારની વાતો કરવા લાગ્યા હતા. દક્ષિણા માંગતા ખેડૂતે મારી પાસે પૈસા નથી તેમ કહ્યુ હતુ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow