દુધની આવકથી મહિને મેળવી રહ્યો છે 70 હજારની આવક

દુધની આવકથી મહિને મેળવી રહ્યો છે 70 હજારની આવક

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ઘાણા ગામનો યુવાન યોહાન પવાર પારંપરીક ખેતીની સાથે, પશુપાલનના વ્યવસાય થકી આર્થીક રીતે પગભર બન્યો છે. વર્ષ 2011માં માંડ 2 ગાયોથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરનાર યોહાનને સરકારની આર્થીક સહાય પ્રાપ્ત થતા 12 ગાયોના માલિક બનવા સાથે મહિને 70 હજારની આવક મેળવતા થયા છે.

ડાંગ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જિલ્લાના ખેડુતો આર્થિક વિકાસ સાધી શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પશુપાલકોને વિવિધ યોજનાકીય સહાયનો લાભ આપવામાં આવે છે.

એક મુલાકાતમાં યોહાન પવાર જણાવે છે કે, શરૂઆતમાં તેઓની ફક્ત 2 ગાયો હતી. જે વખતે એક ટંકનુ 10 લીટર દુધ ભરતા તેઓને રૂપિયા 400ની આવક પ્રાપ્ત થતી હતી, પંરતુ સરકારી સહાય યોજના મળતા તેઓ પાસે આજે 12 ગાયો થઈ છે. ટ્રાયબલ સબ પ્લાન કચેરીમાંથી યોહાનની પત્નીને 3 ગાયો મળી છે. જ્યારે કુટીર ઉધ્યોગમાંથી બીજી 7 ગાયો આપવામાં આવી છે.

‌તેઓ વધુમાં જણાવે છે કે, આજે એક ટકનું 48 લીટર દુધ ડેરીમાં ભરાવાથી તેઓને મહિને કુલ 70 હજાર રૂપીયાની આવક પ્રાપ્ત થાય છે. ખેતીની સાથે તેઓ આજે દુધની આવક મેળવી આર્થીક રીતે સધ્ધર બન્યા છે.

પશુઓ માટે યોહાન પવારે પાકા શેડની વ્યવસ્થા કરી છે. ગાયોના ચારાની વ્યવસ્થા માટે ચાફ કટર સહાય યોજના અંતર્ગત પશુપાલન વિભાગ દ્વારા, તેઓને 50 ટકા સરકારી સહાય મળી છે. આ ઉપરાંત તેમણે મિલકિંગ મશીનની પણ વ્યવસ્થા કરી છે. સાથે જ સ્વખર્ચે શેડમાં પશુઓ માટે ઓટોમેટિક પાણીની વ્યવસ્થા પણ ઉભી કરી છે.

તેઓ જણાવે છે કે, પશુપાલનના વ્યવસાયથી તેઓને બહાર ગામ મજુરી કામે જવુ પડતુ નથી. ધર આંગણે પશુ વ્યવસાયથી તેઓને આવક પ્રાપ્ત થઇ રહી છે.

ડાંગ જિલ્લાના પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત સાધન સહાય, સાથે દુધાળા પશુઓ ખરીદવા માટે 50 ટકા સહાય આપવામા આવે છે. જેમા ગત વર્ષે રૂ. 34 લાખ 50 હજારના ખર્ચે 138 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. 27 જેટલા પશુ દવાખાના અને પશુ સારવાર કેન્દ્રો મારફત અહીં વિવિધ પશુ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow