12.66 લાખ કરોડના Mcap સાથે HDFC વિશ્વમાં ટોચની 7મી બેન્ક

12.66 લાખ કરોડના Mcap સાથે HDFC વિશ્વમાં ટોચની 7મી બેન્ક

એચડીએફસીનું 40 અબજ ડોલરનું મેગા મર્જર પહેલી જુલાઈથી અમલી બન્યું હતું પરંતુ હકીકતમાં અમલીકરણ આજથી શરૂ થયું છે. 12 જુલાઈ શેર એલોટમેન્ટ માટેની રેકોર્ડ ડેટ હતી આજે બીએસઇ પર બે ટકાથી વધુની તેજી સાથે શેર રૂ.1679.20ના લેવલે બંધ રહ્યો હતો. એચડીએફસી લિ.ની 40 અબજ ડોલરની રિવર્સ મર્જર ડીલ બાદ એચડીએફસી બેન્કને નવા શેરો એલોટ થતાં તે દેશની સૌથી મોટી અને વિશ્વની સાતમી પ્રાઈવેટ બેન્ક બની છે. એચડીએફસી બેન્કની માર્કેટકેપ 100 અબજ ડોલરની સપાટી કુદાવી 12.66 લાખ કરોડથી વધુ પહોંચી હતી. એચડીએફસી બેન્ક સરેરાશ 152 અબજ ડોલર એટલે કે રૂ. 12.66 લાખ કરોડની માર્કેટકેપ સાથે હવે મોર્ગન સ્ટેન્લી અને બેન્ક ઓફ ચાઇના જેવી ટોચની બેન્કો સાથે વિશ્વની સાતમી સૌથી મોટી ધિરાણકર્તા બની છે.

ભારતીય બેન્કોની સ્થિતિ મજબૂત રહી
જોકે, HDFC બેન્ક જે.પી. મોર્ગન ($438 અબજ), બેન્ક ઓફ અમેરિકા (232 અબજ), ચીનની ICBC ($224 અબજ), એગ્રીકલ્ચરલ બેન્ક ઑફ ચાઇના ($171 અબજ), વેલ્સ ફર્ગો ($163 અબજ) અને HSBC ($160 અબજ)થી પાછળ છે. મર્જ થયેલી એન્ટિટી તરીકે, એચડીએફસી બેન્ક ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ મોર્ગન સ્ટેનલી ($143 અબજ) અને ગોલ્ડમેન સૅક્સ ($108 અબજ) કરતાં વધુ માર્કેટકેપ ધરાવે છે. વિશ્વમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજદરમાં થયેલા વધારા છતાં ભારતીય બેન્કોની સ્થિતિ મજબૂત રહી છે અને આગામી સમયમાં પણ સારો દેખાવ કરે તેવો અંદાજ છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow