RBIની ગાઇડલાઇન ભંગ બદલ HDFC બેંકને ઝાટકી

RBIની ગાઇડલાઇન ભંગ બદલ HDFC બેંકને ઝાટકી

રાજકોટમાં વકીલાત કરતા હુશૈનભાઇ અબ્બાસભાઇ ભારમલ તા.20-8-2022ના રોજ યાજ્ઞિક રોડ પર આવેલી એચડીએફસી બેંકમાં રૂ.2 હજારની એક અને રૂ.100ના દરની એક નોટ બદલાવવા માટે ગયા હતા. ત્યારે બેંક કેશિયરે આ નોટ ચાલશે નહિ તેમ કહી ચલણી નોટ પરત કરી દીધી હતી. જેથી હુશૈનભાઇ બ્રાંચ મેનેજર જિગર જોશી પાસે જઇ આરબીઆઇની ગાઇડલાઇન અંગેની રજૂઆત કરી હતી.

ત્યારે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી પોતાને બેંકમાંથી બળજબરીપૂર્વક બહાર કાઢી મૂકયા હતા. જેથી બેંકના મેનેજર અને કેશિયરના મનઘડંત વર્તનથી એડવોકેટ ભારમલે એડવોકેટ શુભમ પી.દાવડા મારફત ગ્રાહક સુરક્ષા ધારા-2019ની કલમ 11 તેમજ 1(42) મુજબ રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ ફોરમે આરબીઆઇ ગાઇડલાઇનનું પાલન ન કરવું એ અયોગ્ય વેપાર નીતિરીતિ સમાન છે. બેંક તેના ગ્રાહક જ નહિ કોઇ પણ વ્યક્તિને ચલણી નોટ કે સિક્કા બદલી આપવાનો ઇનકાર ન કરી શકે તેમ કહી એચડીએફસી બેંકને એડવોકેટ ભારમલની નોટ બદલી આપવા હુકમ કર્યો છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow