ભારતમાં ચીની સેનાની ઘૂસણખોરી પર HCમાં સુનાવણી

ભારતમાં ચીની સેનાની ઘૂસણખોરી પર HCમાં સુનાવણી

ભારતમાં ચીની સેનાની ઘૂસણખોરીને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના ત્રણ મંત્રાલયોને નોટિસ પાઠવી છે. જેમાં ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે.

આ નોટિસ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર જારી કરવામાં આવી છે. અરજીમાં સ્વામીએ કહ્યું છે કે ચીની સેનાએ લદ્દાખમાં 4000 ચોરસ કિલોમીટરથી વધુ જમીન હડપ કરી લીધી છે. તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં આરટીઆઈ દ્વારા આ અંગે જવાબ માંગ્યો હતો.

જ્યારે તેમને આનો કોઈ જવાબ ન મળ્યો તો સ્વામીએ કોર્ટનો સંપર્ક કર્યો. હાઈકોર્ટે હવે નોટિસ જારી કરી છે અને આ મામલે સુનાવણીની તારીખ 8મી જાન્યુઆરી નક્કી કરી છે.

જો કે, સ્વામીએ જણાવ્યું હતું કે તેમની આરટીઆઈ અરજી જુદા જુદા વિભાગો વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવી હતી અને આરટીઆઈનો જવાબ આપવાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં પણ તેને બંધ કરવામાં આવી હતી. જ્યારે તેમણે પ્રથમ વખત અપીલ કરી ત્યારે તેનું અલગ-અલગ વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સ્વામીએ માર્ચ 2023માં મુખ્ય માહિતી આયોગ (CIC) સમક્ષ બીજી અપીલ દાખલ કરી હતી. પરંતુ તે અંગે પણ કોઈ જવાબ મળ્યો ન હતો.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow