ગર્ભાવસ્થા દરમિયાન આવી રહી છે મુશ્કેલી? આ સુપરફૂડ્સ કરશે બાળકની માવજત

લગ્ન બાદ કન્સીવ કરવામાં તકલીફ થવી તે એક સામાન્ય વાત બની ગઈ છે. અનેક વાર ગર્ભવતી થવા છતાં પણ મિસકરેજ થવાની સમસ્યા થાય છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા થાય છે તો તે માટે તમારી જીવનશૈલી જવાબદાર હોઈ શકે છે. આયુર્વેદમાં અનેક એવા ફૂડ હોય છે, જેને સુપરફૂડ માનવામાં આવે છે. આ સુપરફૂડનું સેવન કરવાથી ગર્ભ ધારણ કરવામાં મદદ કરે છે, ઉપરાંત મિસકરેજ થવાની પણ સંભાવના રહેતી નથી.
શરીરનું રાખો ધ્યાન
મોટાભાગની મહિલાઓ ગર્ભવતી થયા બાદ ખાણીપીણી અને આરોગ્યનું ધ્યાન રાખે છે. ગર્ભ ધારણ કરવા માટે પહેલેથી જીવનશૈલીમાં સુધારો કરવાની જરૂર છે. આ પ્રકારે કરવાથી બાળક સ્વસ્થ રહે છે અને ગર્ભાવસ્થામાં કોઈ મુશ્કેલી આવતી નથી. આયુર્વેદ ડૉ.દીક્ષા ભાવસારે ઈન્સ્ટાગ્રામ પેજ પર એવા ફૂડ વિશે જાણકારી આપી છે, જે ગર્ભાવસ્થા દરમિયાન અને તે પહેલા પણ ખાઈ શકાય છે.
ગાયનું દૂધ
ગાયનું દૂધ ઓજસમાં વૃદ્ધિ કરે છે અને પ્રજનનક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે. આ ફૂડનું સેવન કરવાથી હોર્મોન પણ સંતુલિત રહે છે અને શરીરનું તાપમાન જળવાઈ રહે છે. કબજિયાતની સમસ્યા થતી નથી. આ દૂધની તાસીર ઠંડી હોય છે.
દાડમ
હ્રદય, પેટ અને પ્રજનનક્ષમતા માટે દાડમ ખૂબ જ ફાયદાકારક છે. જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામીન સી, ઈ અને ફોલિક એસિડ હોય છે. જો તમે કંસીવ કરવાની કોશિશ કરી રહ્યા છો, દાડમ ખૂબ જ લાભદાયી છે.
ગાયનું ઘી
ગાયનું ઘી ઓજસમાં વૃદ્ધિ કરે છે. ભૂખ વધે છે અને પેટ સ્વસ્થ રહે છે તથા પોષક તત્વોનું અવશોષણ કરે છે. જે હોર્મોન્સ માટે પણ ખૂબ જ લાભદાયી છે. રોગ પ્રતિકરાક શક્તિ વધારવાની સાથે સાથે માઁ અને બાળકની સ્મૃતિ માટે પણ લાભદાયી છે.
મગની દાળ
જે મહિલાઓ કંસીવ કરવા માંગે છે, તેમણે મગની દાળ જરૂરથી ખાવી જોઈએ. મગની દાળ પેટ માટે ખૂબ જ લાભદાયી છે. વિટામીન બી9 શરીરની કોશિકાઓ, રક્તકણ બનાવવામાં પણ મદદ કરે છે.
શતાવરી
શતાવરી એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે પ્રજનનક્ષમતાની સાથે સાથે લિબિડોમાં પણ વૃદ્ધિ કરે છે. હોર્મોન્સ સંતુલિત કરે છે અને કંસીવ કરવાના ચાન્સિસ પણ વધી જાય છે. મહિલાઓની પ્રજનનક્ષમતા માટે આ જડીબુટ્ટી સૌથી વધુ ફાયદાકારક છે. શતાવરીનું સેવન કરતા પહેલા આયુર્વેદિક ડોકટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.